Abtak Media Google News

સહજાનંદ સ્વામી ગૂ‚કુલ-વંથલી (સોરઠ) સંકલિત

રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે મંદિરમાં પાટોત્સવના પાવન પ્રસંગે શાસ્ત્રી વ્રજવલ્લભસ્વામીના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત તા.૪ના રોજ જળયાત્રા તેમજ આજરોજ મંગળા આરતી, સિધ્ધિ વિનાયક પૂજન, અભિષેક દર્શન, સત્સંગ સભા, અન્નકુટઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની સરદારનગર કોમ્યુનિટી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત બાલસ્વ‚પ ઘનશ્યામ મહારાજનો તૃતિય વાર્ષિક પાટોત્સવની દેવ પ્રસાદ સ્વામીજીની ઉપસ્થિતિમાં આજે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે દેવકૃષ્ણ સ્વામી (રાજકોટ), ભકિતજીવનદાસ સ્વામી (હરિયાળા), મોહનપ્રસાદ સ્વામી (પીપલાણા), બાલકૃષ્ણ દાસજી સ્વામી (ફરેણી) પુરાણી બાલકૃષ્ણ દાસજી મહંત હરિવલ્લભજી સ્વામી (રાજકોટ), શાસ્ત્રી ભકિતનંદનદાસજી સ્વામી (મોરબી), કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી (બાલાહનુમાન), ભકિત પ્રસાદ સ્વામી (મેંદરડા), કોઠારી ધર્મનંદદાસ સ્વામી (ઉપલેટા), પુરાણી માધવજીવન સ્વામી (જૂનાગઢ) વગેરે સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ આર્શિવચનો પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.