Abtak Media Google News

સ્વાઈન ફલુની મહામારીથી લોકોને રક્ષણ આપવા નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે ઠેર ઠેર કેમ્પનું આયોજન કરી ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પુજીત ‚પાણી ટ્રસ્ટ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણીએ ‘અબતક’ના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

Advertisement

આ કેમ્પમાં મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, અબતક મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા કાસુમા બેરીંગના કમલેશભાઈ ટીંબડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેમ્પમાં સ્વાઈન ફલુથી રક્ષણ આપતી દવાનો ડોઝ મેળવવા લોકોની લાંબી કતારો લાગી હતી. આ તકે કમલેશભાઈ ટીંબડીયાએ પોતે સરકારની સાથે લોક સેવા માટે હોવાનું કહી અબતકનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.