Abtak Media Google News

દસ વર્ષની માસૂમ બાળકીએ કરી આત્મહત્યા : પરિવાર આઘાતથી સ્તબ્ધ

રાજકોટમાં ન્યુ જાગનાથ – 23માં મહાકાળી માતાજીના મંદિર નજીક રહેતા અને મૂળ નેપાળના કરણ સોની નામના યુવાનની માત્ર 10 વર્ષની પુત્રીએ ગઈકાલ સાંજના સમયે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા વાલીઓએ કામકાજ બાબતે બાળકીને ઠપકો આપતાં પગલું ભર્યાની શંકા દાખવી હતી.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ ન્યુ જાગનાથ – 23માં મહાકાળી માતાજીના મંદિર નજીક રહેતા અને મૂળ નેપાળના કરણ સોની નામના યુવાનની માત્ર 10 વર્ષની પુત્રી કરિશ્મા સોનીએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના પિતા કરનભાઈ એક ધાબામાં નોકરી કરતા હતા અને તેને ત્રણ સંતાનમાં કરિશ્મા સૌથી નાની હતી.ગઈકાલ બોપરના સમયે તેને બાથરૂમમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હતું પરંતુ પોલીસને તપાસમાં વાલીઓ અને કામકાજ બાબતે ઠપકો આપતા પાર્ટીએ પગલું ભરી લીધા હોવાની શક્યતા દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.