Abtak Media Google News

તળાજા તાલુકાના નવી કામરોલ ગામની પરિણીતાએ લગ્નની પ્રથમ વર્ષ ગાંઠે કરેલા આપઘાત પ્રકરણમાં પતિ અને સાસુ સામે મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.વધુ વિગત મુજબ તળાજા નજીક નવી કામરોલ ગામે રહેતા પુજાબા કૃષ્ણદેવસિંહ સરવૈયા નામની પરિણીતાએ તા.21 ફેબ્રુ.ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

Advertisement

આ બનાવમાં મૃતક પુજાબાના પિતા અને તળાજા તાલુકાના ગઢડા ગામે રહેતા અને લેબર કોન્ટ્રાકટર સતુભા બટુકભા ગોહિલે મૃતક પુજાબાના પતિ કૃષ્ણદેવસિંહ બુધ્ધરાજસિંહ સરવૈયા અને તેના સાસુ સીતાબા બુધ્ધરાજસિંહ દ્વારા કરિયાવર બાબતે ત્રાસ આપતા હોય આથી ગળાફાંસો ખાઈજીવન ટુંકાવી લીધું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પૂજાબાના 1 વર્ષ પુર્વે કૃષ્ણદેવસિંહ સરવૈયા સાથે લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન સાસરીયા દ્વારા ત્રાસ આપતા હોય આથી પુજાબા સાત વખત માવતરનાં ઘરે આવેલા પરિવાર દ્વારા સજાવટથી સાસરીમા મોકલ્યા હતા.તળાજા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.