Abtak Media Google News

મૃતકની ઓળખ  બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગે વિશેષ  વિગત બહાર આવશે

મૃતદેહ સળગાવી પૂરાવાનો નાશ કર્યાનો પ્રયાસ

ટંકારામાં હડમતીયા રોડ પર મહિલાની હત્યા કરી  તેની લાશને  સળગાવાનો પ્રયાસ કરી મૃતદેહને કોથળામાં વીટી ફેંકી દીધાની ઘટના  સામે આવી છે. મૃતદેહની ઓળખ થયા બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગે વિશેષ વિગત બહાર આવશે.ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ મૃતદેહનેને સળગાવાની કોશીશ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ આશરે 35 થી 40 વર્ષની મહિલાનો મૃતદેહ કોથળામાં પેક કરેલી હાલતમાં સજ્જનપર હડમતીયા રોડ ઉપર આવેલ ખેતરની બાજુમાં હોવાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા બાદ ફોરેન્સિક પિએમ માટે ખસેડવાની જરૂર જણાતા સરકારી ડોક્ટર દ્વારા જાણ કરી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા નોંધ લઈ ટંકારા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી આ મહીલાની ઓળખ મેળવવા તથા બનાવ શું બન્યો છે અને મહિલાની હત્યા કરવામાં આવી છે કે કેમ? અને હત્યા થઈ હોય તો  કોણે કરી છે એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.