Abtak Media Google News

ગારીયાધારનાં બેલા ગામે તસ્કરોએ દુકાનના તાળા તોડી રૂ.૨૭ હજારની તફડંચી કરી

ગોહિલવાડમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ ભાવનગર, ગારીયાધાર અને પાલીતાણામાં તસ્કરોએ રહેણાંક મકાન અને દુકાનોને નિશાન બનાવી માલ મતાનો હાથ ફેરો કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ખારગેટ કણબીવાડ વિસ્તારમાં રહેતા સાગર રાજેશભાઈ કામદારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકી રોકડ, મોબાઈલ અને ઘરેણા મળી કુલ રૂ.૩૨ હજારની માલમતાની ચોરી થઈ હોવાની ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જયારે બીજા બનાવમાં ગારીયાધાર તાલુકાના બેલા ગામે તસ્ક્રોએ દુકાનના નકુચા તોડી દુકાનમાં રહેલ રૂ.૨૭ હજારની રોકડની તફડંચી કરી ફરાર થઈ ગયા હોવાની અને પાલીતાણામાં પણ તસ્કરોએ ખાતર પાડયું હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય ફરિયાદના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.