Abtak Media Google News

કેશોદમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે થનગનાટ નવરાત્રીનો મહાનુભાવોની હાજરીમાં શુભારંભ થયો હતો. કેશોદમાં સદભાવના ટ્રસ્ટ હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પ્રસ્તુત ઓમ ગ્રુપ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવનું લેડીઝ પીએસઆઈ ચાવડા, બેંક મેનેજર દિનેશભાઈ ચૌહાણ, માનવ અધિકાર મંચના ચીફ ડાયરેકટર ડાયાભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઈરીગેશન વિભાગ ભાવેશ ગઢવી, આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઈ પટેલ તથા સદભાવના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઈ દેવાણી તથા આયોજકો રાજુભાઈ બાબરીયા, સુરેશબાપુ ગૌસ્વામી મંતવ્ય ન્યુઝના રીપોર્ટર સી.કે.પરમાર, કેશોદ પ્રેસ કલબ પ્રમુખ પ્રકાશભાઈ દવે તથા પ્રેસ કલબ ઉપપ્રમુખ ગોવિંદ હડીયા તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલૈયાઓ મન મુકીને રમ્યા હતા.

આગામી સોમવારે રાજકીય નેતા રેશ્મા પટેલ થનગનાટ નવરાત્રી મહોત્સવમાં આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. થનગનાટ નવરાત્રી મહોત્સવમાં આધુનિક સાઉન્ડના તથા ‚દ્રા મ્યુઝિકની સંગાથે ઉતર ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા પ્રાર્થમાં આચાર્ય તથા અશોક તન્ના દ્વારા રાસ ગરબા રજુ કરી ખેલૈયાઓને નવરાત્રીનો અનોખો આનંદ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.