Abtak Media Google News

અમદાવાદના નવાપુરા પાસે આજે વહેલી સવારે નેશનલ હાઈવે-8 પર ચાંગોદર નજીક દિવ્યપથની સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત બન્યાં છે. આ મામલે મળતી પ્રાથમિક વિગત પ્રમાણે ટ્રક અને સ્કૂલ બસની ઓવર સ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો છે. અમદાવાદની દિવ્યપથ સ્કૂલની બસને ચાંગોદર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર સહિત બેથી ત્રણ વિદ્યાર્થીઓ પણ ગંભીર છે.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલી વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સ્કૂલ બસ બાળકોને લઈને ડિઝલ ભરાવવા માટે એક જગ્યાએ ઉભી રહી હતીં. જેનાથી તેમને મોડુ થતું હતું એટલે બસ એકદમ સ્પીડમાં જઈ રહી હતી અને સામેથી પણ એકદમ સ્પીડમાં ટ્રક આવી રહી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. તેણે કહ્યું કે બસમાં આગળ જે વિદ્યાર્થીઓ બેઠા હતાં તેમને વધારે વાગ્યું છે જ્યારે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને ઓછું વાગ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.