અંગ્રેજોની કોઠી રહ્યાં પહેલા રાજકોટની રોનક કેવી હતી તે બેડીનાકા ટાવર, કોઠારીયા નાકા, રૈયા નાકા અને જામટાવર સહિતના સ્થાપત્યો પરથી ફલીત થાય છે. જૂના રાજકોટનું રક્ષણ આ ટાવરોએ કર્યું હતું. અંગ્રેજોની કોઠી રહ્યાં બાદ રાજકોટના બેડીનાકા ટાવર સહિતના હેરીટેજ આજે રાજકોટની હરણફાળના ઈતિહાસના પુરાવા આપે છે. જૂના રાજકોટનું રક્ષણ કર્યા બાદ આજે ઐતિહાસિક સ્થાપત્યો સમાન બેડીનાકા ટાવરથી જ રાજકોટથી બેડી તરફનો વહેવાર ચાલતો આવ્યો હતો. આશરે સવા સો વર્ષ પૂર્વે અંગ્રેજોએ રૈયા નાકા અને બેડીનાકા ટાવરનું નિર્માણ કર્યું હતું. આ બન્ને ટાવર ઘડીયાળ સાથેના છે. એ વખતે દરબારગઢથી માંડી ગઢની રાંગ સુધીનો વિસ્તાર રાજકોટ તરીકે ઓળખાતો તે સમયે રાજકોટ માસુમાબાદ તરીકે ઓળખાતું હતું. આજે ફરી શહેરની ધરોહર સમાન બેડીનાકા ટાવરની ડ્રોન તસવીરથી જૂના રાજકોટનો ઈતિહાસ નજરે પડે છે. (અબતક ડ્રોન તસવીર)
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા