Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારામાં સારી શ્રેષ્ઠ સારવાર મળે તે માટે કોવીડ હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે.

૭૨ વર્ષના સીરીનબેન ત્રવાડી દાઉદી વ્હોરાને ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કિડની અને શ્વાસની થોડી ઘણી તકલીફ હતી અને એ દરમ્યાન તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે દિવસ સઘન સારવાર આપ્યા બાદ રાહત થતાં સમરસ કોવીડ સેન્ટરમાં આઠ દિવસ સારવાર આપવામાં આવી હતી.

બીજી બીમારી છતાં સરકારી હોસ્પિટલમાં મળેલી સારામાં સારી સારવારથી સ્વસ્થ થઇ જતા રાજીપો વ્યક્ત કરતા સીરીનબેને જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા સારામાં સારી સારવાર આપવામાં આવે છે. જમવાની અને બીજી પણ વ્યવસથા સારી છે. હું પ્રથમ દિવસે ઉભી પણ થઈ શકતી ન હતી એટલી નબળાઈ હતી પરંતુ દસ દિવસમાં સંપૂર્ણ સારું થઈ જતા તેમણે સરકારી હોસ્પિટલના તબીબો અને તંત્રનો આભાર માન્યો હતો. સીરીન બેનના પુત્ર શૈફુદિનભાઇ ત્રવાડીએ કહ્યું કે  તેમના માતાને સમયસર અને સારી સારવાર મળી જતા કોરોનાી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

સમરસ કોવીડ કેર સેન્ટરના ડો.મેહુલ પરમારે જણાવ્યું હતું કે લોકોએ કોરોના અંગેની ખોટી અફવાથી દૂર રહેવું જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ હાલની સ્થિતિમાં પડે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. બીજી બીમારી હોય તો પણ ગભરાયા વગર સમયસર સારવાર કરી લેવાથી કોરોનાથી સાજા થઇ શકાય છે. ૭૨ વર્ષના માજીને બીજી ઘણી બીમારી હતી પરંતુ વ્યવસ્થિત સારવાર મળી જતાં તેમને સંપૂર્ણ સારું થઇ ગયું છે તેમ જણાવીને તબીબે લોકોને સાવચેત રહેવા જરૂરી દરકાર રાખવા અને જરૂરી કાળજી રાખવા અને કોઈ પ્રકારના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવા જણાવ્યું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.