Abtak Media Google News

પસંદ કરેલા ૧૦૦ સંશોધકોને માસિક રૂ.૧૫ હજાર ફેંલોશીપ આપવામાં આવશે

સાયન્સ અને ટેકનોલોજીનાં કેન્દ્રીય પ્રધાન ડો.હર્ષવર્ધને દેનાં યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવા માટે ચાર યોજનાઓની જાહેરાત કરી હતી. આ યોજનાઓ મુખ્યત્વે પ્રારંભિક માન્યતા અને વિજ્ઞાનનાં ક્ષેત્રે યુવાન પ્રતિભાને પુરસ્કાર આપવાનું લક્ષ્ય ધરાવે છે.

યોજનાઓ યુવાનોને સશક્તિકરણ, ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુનિવર્સિટીએ કોલેજો પ્રશિક્ષિત ફેકલ્ટીની ક્ષમતાને ટેપ કરવા માટે ૫૦૦ શિક્ષકોને રિસર્ચ એકસેલન્સ યોજના માટે શિક્ષક એસો. હેઠળ મદદ કરવામાં આવશે. તે આઈઆઈટી, આઈઆઈએસસી અથવા નેશનલ ઈન્સ્ટિટયુટ જેવી અગ્રણી પબ્લિક ફંડ આધારિત સંસ્થાઓ સાથે જોડાણ કરશે. જેમ કે સીએસઆઈઆર, સંશોધન માટેનાં પ્રાધાન્યમાં તેમનાં કામના સ્થળની નજીક તેમને રૂ.૫ લાખ વાર્ષિક અને માસિક આઉટ ઓફ પેકેટ ખર્ચ રૂ.૫ હજાર આ તેમના હાલનાં એમ્પ્લોયર પાસેથી પગાર ઉપરાંત હશે.

બીજી યોજના-ઓવસીઝ વિઝિટીંગ ડોકટરલ ફેલોશિપ, વિદેશમાં યુનિ. તથા પ્રયોગ શાળાઓમાં તાલીમ માટે ૧૦૦ પીએચડી વિધાનોને તેમના ડોકટરોલ સંશોધન દરમિયાન ૧૨ મહિલા સુધી સહાય કરે છે. તેમને માસિક ફેલોશિપ ડોલર ૨ હજારની સમકક્ષ આપવામાં આવશે એક વખતનાં આકસ્મિક ભથ્થા રૂ.૬૦ હજાર મુસાફરી અને વિઝા ફી આવરી લેવાઈ છે.

વિશિષ્ટ તપાસકર્તા એવોર્ડ એસઈઆરબીડીએસટી પ્રોજેકટસનાં મુખ્ય તપાસકર્તાઓને મહતમ ૧૦૦ ફેલોશિપ આપે છે. ડો.હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે, આ એક સમયની કારકિર્દી એવોર્ડનું પૂર્ણ પ્રોજેકટનાં આધારે નકકી કરવામાં આવશે. જેનો હેતુ યુવાન વૈજ્ઞાનિકોને પ્રારંભિક માન્યતા અને પુરસ્કાર આપવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.