Abtak Media Google News

સમગ્ર સમાજનો ટેકો આપ્યો હોવાનો ક્ષત્રિય સમાજનો દાવો

 હાલ સમગ્ર ભારતમાં ફિલ્મ પદ્માવતને લઇ વિરોધ થઈ રહ્યો છે અને કરણીસેનાએ દેશ બંધનો એલાન આપ્યું છે. ત્યારે મોરબીમાં આજે ક્ષત્રિય સમાજ બેઠક યોજાઇ હતી.જેમાં મોરબીમાં અડધા દિવસનો બંધ પાડવાનું નક્કી કરાયું છે. અને તેમાં સમગ્ર સમાજે ટેકો આપ્યાનો દાવો કરાયો છે.

મોરબીમાં આજે પદ્માવત ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે.શરૂઆતથી જ વિવાદમાં સપડાઇ છે.રાજસ્થાનથી થયેલ વિરોધ હાલ સમગ્ર દેશમાં પ્રસરી ગયો છે.ગુજરાત માં ફિલ્મનો પ્રતિબંધ મુકાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ રદ કરી દેતાં જાણે બળતામાં ઘી હોમાયું હોય તેમ અમદાવાદમાં મંગળવરે હિંસક ઘટના બની હતી.તો આજે કરણી સેનાએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેને પગલે મોરબીમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મોરબી શહેર સમગ્ર જેમાં અડધો દિવસનો બંધ પાડવાનું એલાન કર્યું છે.જેનો સમગ્ર સમાજનો ટેકો મળ્યો હોવાનું જણવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.