Abtak Media Google News

ગેર કાયદે પિસ્તોલ લોડેડ રાખતા પિતાએ માસુમ પુત્ર ગુમાવ્યો:

બાળકે લોડેડ પિસ્તોલ લમણે રાખી ટીગર દાબી દેતા મોત

શહેરના જામનગર રોડ પર ભોમેશ્ર્વર નજીક આવેલી જાગૃતિ શ્રમજીવી સોસાયટીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ગરાસીયા પરિવારના નવ વર્ષના માસુમ બાળકે લોડેડ પિસ્તોલથી રમતા રમતા લમણે રાખી ટીગર દાબી દેતા નીપજેલા મોત અંગે પોલીસે મૃતકના પિતા સામે બેદરકારી દાખવા અને ગેર કાયદે હથિયાર રાખવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જયવીરસિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમા નામના ૯ વર્ષના ગરાસીયા તરૂણના લમણામાં ગોળી લાગતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.

જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં ફાયરિંગથી નવ વર્ષના જયવીરસિંહ ચુડાસમાની હત્યા થયાની ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પી.એસ.આઇ. જી.એન.વાઘેલા સહિતનો સ્ટાફે તપાસ હાથધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મોચી બજાર પાસે આશા રોડવેઝના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હિતેન્દ્રસિંહ ચુડાસમા પાસે ગેર કાયદે પિસ્તોલ હોવાનું અને લોડેડ પિસ્તોલ પોતાના હોલમાં મુકીને સુઇ ગયા હતા જ્યારે તેમના પત્ની રસોઇ બનાવતા હતા ત્યારે તેમનો નવ વર્ષનો પુત્ર જયવીરસિંહ ચુડાસમા લોડેડ પિસ્તોલથી રમતો હતો ત્યારે તેને પોતાના લમણે રાખી ટીગર દાબી દેતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.

પી.એસ.આઇ. જી.એન.વાઘેલાએ હિતેન્દ્રસિંહ રવુભા ચુડાસમા સામે ગેર કાયદે પિસ્તોલ રાખી બેદરકારી દાખવવાના કારણે જયવીરસિંહ ચુડાસમાનું મોત નીપજ્યા અંગેનો ગુનો નોંધી હિતેન્દ્રસિંહ ચુડાસમાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.