Abtak Media Google News

સીએએના વિરૂધ્ધમાં બંધના એલાનને સમર્થન નથી: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સ્પષ્ટતા

સીએએના વિરુધ્ધમાં અમુક સંસ્થાઓ દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાના અહેવાલો ચાલી રહ્યા છે. જેના સંદર્ભે આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવતીકાલે બુધવારે ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઈ સંસ્થા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું નથી અને બંધના એલાનને સમર્થન પણ અપાયું નથી. આવતીકાલે શહેરના તમામ વેપાર ઉદ્યોગ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સની એક યાદીમાં જણાવ્યા મુજબ કાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. કે તેના સંલગ્ન ઉદ્યોગીક કે વેપારી એસો. દ્વારા બંધનુું એલાન આપવામાં આવ્યું નથી. સીએએના વિરુધ્ધમાં કોઈ બંધનું એલાન છે નહીં અને જો એલાન કોઈ સંસ્થાએ આપ્યું હોય તો તેને કોઈપણ પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું નથી. આવતીકાલે શહેરમાં વેપાર-ઉદ્યોગ રાબેતા મુજબ ચાલુ રહેશે જેની તમામે નોંધ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.