Abtak Media Google News

મહાત્મા મંદિર ગાંધીનગરમાં ગરવી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો પ્રારંભ કરાવતા વિજયભાઇ રૂપાણી

૧૦૦ થી વધુ ઇન્ટરનેશનલ બાયર્સ-ર૦૦થી વધુ નેશનલ બાયર્સ-૧પ૦થી વધુ એક્ઝિબિટર્સ  મિટીંગ-સેમિનાર-પ્રદર્શની વેચાણનું ઉત્તમ મંચ તૈયાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે પરંપરાગત હસ્તકલા-હાશાળ કારીગરીને સમયાનુકુલ બદલાવ સાથે વૈશ્વિક મંચ આપવા ગુજરાત સરકાર સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓના નિર્માણ માટે પ્રતિબધ્ધ છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની ભાતીગળ હસ્તકલા હાશાળ કારીગરીના ગ્રામીણ કુશળ કારીગરો-કસબીઓને સ્વનિર્ભરતાના અવસરો આપવા સરકારે રૂ. ૪પ૦ કરોડ કુટિર અને ગ્રામોદ્યોગ તહેત બજેટમાં ફાળવ્યા છે.  મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરમાં ગરવી આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ કરાવતાં આ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.Pkif1446આ મીટમાં હાશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, મિટીંગ, સેમિનાર તથા સહભાગી થવાના છે.વિજયભાઇ રૂપાણીએ આ અવસરે ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ઓન લાઇન વેચાણ માટેની એપ અને સાઇટનું પણ લોન્ચીંગ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં કર્યું હતું.Pkif1438 મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની હસ્તકલા-હાશાળ કારીગરી વિવિધતાી ભરપૂર છે. કચ્છ-જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છી ભરતકામ, રોગાન પેન્ટીંગ, પિઠોરા ચિત્રકલા આવી અનેકાનેક બેનમૂન કારીગરીએ વિશ્વમાં ગુજરાતની કલા-સંસ્કૃતિને ઊજાગર કરી છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે, આ બાયર સેલર મીટ રાજ્યના નાના-ગ્રામીણ કારીગરો માટે એક ઉત્તમ મંચ બનશે અને તેમની ચીજવસ્તુઓને વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

મુખ્યમંત્રીએ આ મીટ ગુજરાતના વેચાણકારો અને ઇન્ટરનેશનલ ખરીદદારો બેય માટે વિન-વિન સીચ્યુએશન બનશે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, મિટીંગને  પરિણામે નેટવર્કીંગનો પણ વ્યાપક લાભ અને અવસરો ગ્રામીણ કારીગરોને ઘર આંગણે બેઠા પ્રાપ્ત શે.

વિજયભાઇ રૂપાણીએ આ પરંપરાગત અને પેઢીગત વ્યવસાયનો વારસો હવેની યુવા પેઢી જાળવી રાખે સાથો સાથ ઇન્ટરનેટ, ગુગલ જેવા માધ્યમોથી વિશ્વના પ્રવાહોને અનુરૂપ ઇનોવેશન્સ અને ઉત્પાદનોમાં ચેન્જ લાવે તે સમયની માંગ છે તેમ પણ યુવા હસ્તકલા કારીગરોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ પરંપરાગત વ્યવસાયો-હસ્તકલા કારીગરોને ૬ ટકા વ્યાજ સબસીડી યોજનાની ભૂમિકા પણ તેમણે આપી હતી.

વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ બંધુઓના હસ્તકલા ઉત્પાદનોના વેચાણ માટે વાયબ્રન્ટ સમિટમાં એમેઝોન સાથે થયેલા એમઓયુની વિશેષતાઓ પણ સમજાવી હતી.  મુખ્યમંત્રી ઉપસ્તિીમાં ભૂતાન, દૂબઇ, ચાયના, યુ.કે.ના વિવિધ વ્યવસાયકારોએ ગુજરાત હેન્ડલૂમ હેન્ડીક્રાફટ કોર્પોરેશન સાથે ખજ્ઞઞ પણ કર્યા હતા.

કુટિર ગ્રામોદ્યોગ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ ઈન્ટરનેશનલ બાયર સેલર મીટનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, હાશાળ અને હસ્તકળા ક્ષેત્રે ગ્રામ્યસ્તરે કામ કરતા કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે ત્યારે આપણી પરંપરાગત કળા તેમજ વારસો ચોક્કસ વૈશ્વિક સ્તરે પ્રસપિત થશે.  તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગ્રામ્યસ્તરે કારીગરોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે કારીગરોને ઉચ્ચકક્ષાની તાલીમ તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે અનેકવિધ યોજનાના લાભો સરકારે પૂરા પાડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.