Abtak Media Google News

ખેડૂતોને આર્થિક સધ્ધર બનાવી આવક બમણી કરવાના સરકારના લક્ષ્યને વધુ ને વધુ વ્યાપક બનાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક કવચ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં વધુમાં વધુ ખેડૂતોને આવરી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહત્તમ ખેડૂતોને આર્થિક નુકસાન વળતર મળે તે માટે સરકાર પ્રતિબ્દ્ધ

પહેલી જુલાઈથી અઠવાડિયા સુધી સરકાર દ્વારા દેશના  પસંદગી પ્રાપ્ય જિલ્લાઓમાં ખાસ ઝુંબેશ ચલાવી ને ૨૦૨૧ની ખરીફ મોસમ માટેની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મા મહત્તમ ખેડૂતોને આવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જાન્યુઆરી૧૩ ૨૦૦૬ થી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં અત્યાર સુધીમાં ૨૯.૧૬ કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવ્યું છે અને ૯૫ હજાર કરોડ દેશી રૂપિયા રૂપિયા ચૂકવવામાં આ:વ્યા છે અને ખેડૂતો પાસેથી ૧૭ હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ આવ્યું છે.

ખેડૂતોને વીમા કવચ મળી રહે તે માટે સરકાર દ્વારા ધન્ય જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવી ને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ માફ કરી શકે તે માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું ખેડૂતોને વીમા કવચ ઉપરાંત ટેકાના ભાવમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.