Abtak Media Google News

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મોલ્લાસ વચ્ચે સામૈયું: હરિભકતો ઉમટયા

માધાપર ચોકડી ખાતેના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાને લઈને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સામૈયામાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનેક હરિભકતો ઉમટી પડયા હતા. આ ઉજવણી નિમિતે દિનેશભાઈ જેઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એસ.એમ.વી.એસ. સંસ્થા જામનગર રોડ જેની સ્થાપના પ.પૂ.દેવનંદનદાસ બાપજી દ્વારા કરવામાં આવી છે ત્યારે ત્યા આ ઉત્સવ નિમિતે સ્વામીજી પધારવાના હતા ત્યારે ૧૫૦ ફુટ રીંગ અયોધ્યા ચોકથી મંદિર સુધી એક સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી નાચતા-ગાતા હરિભકતોએ અયોધ્યા ચોકથી મંદિર સુધી આ સામૈયાનું આયોજન કર્યું હતું અને આ દર્શનનો લાભ મેળવવા વિવિધ જગ્યાઓથી હરિભકતો ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.