Abtak Media Google News

ધારાસભ્ય કાંધલ જાડેજાની ઉપસ્થિતી: માનવ મહેરામણ ઉમટ્યો

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ઓડદર ગામે આવેલ ગુરુ ગોરખનાથની જગ્યાના મહંત યોગી છોટુનાથ બાપુના જીવિત ભંડારા તેમજ સંપ્રદાય ના સંત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભાવિકો સાથે માનવતા મહેકી ઊઠી હતી.

Img 20200310 Wa0050

ઓડદર ગામના મહંત યોગી  છોટુનાથ બાપુ નો જીવિત  ભંડારો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત છોટુંનાથ બાપુ સમસ્ત સેવક સમાજ દ્વારા સાધુ સંપ્રદાયના સંતોનો મેળાનું આયોજન પણ સાથે કરવામાં આવ્યો હતો. આ જીવિત ભંડારા પ્રસંગે ધર્મ સભા, સાસ્કૃતીક કાર્યક્રમો, મહેરના મણિયારા રાસ, બહેનો નામ ભાતીગળ રાસ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગુરૂ ગોરખનાથની જગ્યાના મહંત યોગી છોટુનાથ બાપુના જીવિત ભંડારા પ્રસંગે કુતિયાણા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહી જીવિત ભંડારા પ્રસંગે ઉપસ્થિત સાધુ સંપ્રદાયના સંત ગણો તેમજ છોટુનાથ બાપુના સાનિધ્યમાં શિશ નમાવીને સંતોના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે આસપાસના ગામમાંથી હજારોની સંખ્યામાં ભાવિક જનોએ ઉપસ્થિતિ રહી આ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો માણ્યો હતો. છોટુ નાથ બાપુના જીવિત ભંડારા પ્રસંગે સાધુ સંપ્રદાયના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.