Abtak Media Google News

રાજકોટના સરધારમાં પી.જી.વી.સી.એલની કામગીરી સરધારના ગ્રામ્યજનોમાં ઉડીને આંખે વળગી હતી. સરધારના સામાજીક કાર્યકર પરેશભાઈ સાંયજાના કહેવા મુજબ રાજકોટ ભાવનગર હાઈવે ચાર માર્ગીય બની રહ્યો છે. ત્યારે સરધાર ગામતળ બાકી કામ હાલ થઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં પીજીવીસીએલના ડે. ઈજનેર દિવ્યકાંત પટેલ અને તેમની ટીમએ ઝડપભેર વીજ પોલ ખસેડી આ કાર્યમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી સામાન્ય રીતે મોટાભાગે કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોય ત્યારે સરધાર વીજ કંપનીનું કામ ઝડપભેર થયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.