Abtak Media Google News

ગત શૈક્ષણિક સત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગરમાં નવા સત્રનાં શુભારંભે ગત શૈક્ષણિક સત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અતિથિવિશેષ ડો. નીરજાબેન ચૌહાણ, સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટીશ્રી રમેશભાઈ ઠાકરે પ્રત્યેક ધોરણ અને વિષયમાં શ્રેષ્ઠ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી શાળાના તમામ વિદ્યાર્થીઓને વધુને વધુ સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા જણાવ્યું હતું.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં દર વર્ષે ઓલ અપ યોજના હેઠળ શૈક્ષણિક સત્રમાં સારો દેખાવ કરનારા પ્રત્યેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ નવા સત્રનાં શુભારંભે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર દ્વારા ઓલ અપ યોજના હેઠળ ગત સત્રનાં તેજસ્વી તારલાઓને પોતાની આવડતનું ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મર દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરવવામાં આવ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.