Abtak Media Google News

 શિવજીને મહા માસની અંધારી ચૌદશ રાત્રિ અતિ પ્રિય છે તેથી તેને મહાશિવરાત્રિ કહેવાય છે

અબતક,રાજકોટ

મહા વદ ચૌદસને દિવસે આવતી મહાશિવરાત્રિ માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે . સૃષ્ટિને શિવત્વનો સંદેશ સંભળાવે છે . મહાશિવરાત્રીએ દ્વાદશ જયોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઇ હતી . વળી , દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો તેથી આ દિવસનો ઘણો મહેમા છે .

આ દિવસની એક સુંદર પૌરાણિક કથા તો આપણે જાણીએ જ છીએ . ગરૂયુ્રહ નામે એક પારધિ શિકાર કરી ગુજરાન ચલાવતો . એક વખત તે બીલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો . એ રાત્રિ મહાશિવરાત્રીની હતી . રાત્રી વીતવા લાગી ત્યાંજ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઇ પારધિએ તેને હણવા ધનુષ્ય તૈયાર કર્યું , પરંતુ હરણીની આજીજી સાંભળી , તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની રજા આપે છે . હરણોની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલિપત્ર તોડી તોડી નીચે નાખે છે . તે બીલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડયા કરે છે.આમ રાતભરનુ જાગરણ અને બિલિપત્રથી શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે . પારધિનું ચિત્ત શઘ્ધ થાય છે . ત્યાંજ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઇ તેનું હ્રદય દ્રવિત થઇ જાય છે . હરણાંઓનું વચન પાલન તેનું હૃદય પરિર્વત કરે છે . અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે .

સરસ્વતી સ્કુલનાં સંચાલકો રી પ્રદિપ્રભાઈ ખીમાણી , શ્રી જગદીશભાઈ ખીમાણી , શ્રી નરેશભાઈ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી જણાવે છે કે આ દિવસે ગિરનાર પર્વતની તળેટીમાં ખૂબ મોટો મેળો ભરાય છે . દેશવિદેશમાંથી માનવ મહેરામણ ઊમટી પડે છે.દિવસો અગાઉથી મેળાની તૈયારી રૂપે રસ્તા ઉપર અનેક વિધ દુકાનો નખાઇ જાય છે . આ મેળામાંથી જ કેટલાય ગરીબોને રોજીરોટી મળી રહે છે . દાતાઓ મેળામાં શ્રદ્ધળુઓની સગવડ માટે પરબ અન્નક્ષેત્ર વગેરે ખુલ્લા મુકાવે છે . સૌ ભેગા મળી શિવપૂજન કરે છે . સંન્યાસીઓના દર્શન કરે છે , દિગમ્બર સંન્યાસીઓ સરઘસ કાઢી છેવટે ભવનાથ મંદિર ખાતે આવેલા મૃગીકુંડમાં સ્નાન કરે છે અને કેટલાક તો કુંડમાં જ અદ્દશ્ય થઇ છે . ભકતો બહુ જ અહોભાવો આ બધું નિહાળે છે અને પોતાને ધન્ય થયેલા માને છે .

સરસ્વતી સ્કુલનાં સંચાલકો  પ્રદિપ્રભાઈ ખીમાણી ,  જગદીશભાઈ ખીમાણી ,  નરેશભાઈ ખીમાણી , રઘુભાઈ ખીમાણી તથા  ગોપીબેન ખીમાણીએ વધુમાં ઉમેરે છે કે , આવી કથાઓના શ્રવણ સાથે ભારતભરમાં મહાશિવરાત્રીના દિવસે બીલીપત્ર ચડાવીને તથા ઉપવાસ કરીને શિવ પૂજન કરવામાં આવે છે . આ દિવસે ઉપવાસ , શિવ પૂજન તથા જાગરણનું વિશેષ મહત્વ છે . શિવ પુરાણમાં આ વ્રતના નિયમો દર્શાવીને ભક્તોની શ્રધ્ધાને દૃઢ કરવામાં આવી છે શિવ એ જ્ઞાનના દેવ છે .

તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહેતી રહે છે.ભગવાન શિવ હિમ આચ્છાદિત દાવલ ગિરિશૃંગ પર બેઠા છે . તેમાં જ્ઞાનની બેઠક વિશુધ્ધ હોવી જોઇએ એવું સૂચન રહેલું છે . વળી , કૈલાસના ઉચ્ચ શિખરે બિરાજતા શિવ એવું પણ સમજાવે છે કે ‘ શિવ ’ એટલ કે ‘ કલ્યાણ’ને પામવા જીવનની ઉચ્ચ ભાવનાઓ સુધી પહોંચવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.