Abtak Media Google News

સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ સહિત આયોજન: આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

રાજકોટ શહેરની બાજુમાં આવેલ આણંદપર (નવાગામ) મુકામે સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તળપદા કોળી સમાજના પાંચમાં સમૂહ લગ્નનું આયોજન તા.૩ને રવિવારના સવારે ૬ કલાકથી બપોરના ૨ કલાક કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નનું સ્થળ આદિત્ય ઈન્ડ. એરીયા, પટેલ વિહાર સામે, રાજકોટ-અમદાવાદ હાઈવે, આણંદપર (નવાગામ) રહેશે. એક મહા રકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Advertisement

આ સમૂહ લગ્નમાં ૧૨ યુગલો પ્રસંગે દાંપત્ય જીવનનો આરંભ કરશે અને ૧૦૦થી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં સંતો, મહંતો તથા સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા/તાલુકા પંચાયત તથા સરપંચો તથા વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ ધી‚ભાઈ હાંડા, ઉપપ્રમુખ નારણભાઈ સોલંકી, ટ્રસ્ટીઓ ધી‚ભાઈ જેસાણી, જીતેશભાઈ માલકીયા, હસમુખભાઈ સરીયા, ગોરધનભાઈ ખમસાણી, રાજેશભાઈ જાપડીયા, વિજયભાઈ સોલંકી, ભુપતભાઈ ભલગામડીયા, દિનેશભાઈ અજાડીયા, અરજણભાઈ સરવૈયા, દિનેશભાઈ હાંડા, દેવશીભાઈ સોલંકી, પાંચાભાઈ ડાભી તેમજ ૩૦૦થી વધુ કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.