Abtak Media Google News

એક જમાનામાં બાર માસે વહેતી – વીરડે પાણી પીવડાવતી લોકમાતા ભોગાવામાં હવે ઠલવાય છે ગટરનું પાણી

 

નદીમાં ગામ આખાની ગંદકીનું પાણી પાઈપલાઈનો દ્વારા ઠાલવવામાં આવતા આ ભોગાવો નદી પ્રદૂષિત બની ગઈ છે ત્યારે વળી મોસાળમાં મા પીરસનાર હોય અને પુત્ર ભૂખ્યો રહીને કરો કેવા સૂત્રને અનુસરી અને વઢવાણ ભોગાવો નદીમાં કારખાનાઓ તેમજ અનેક વઢવાણ જીઆઇડીસી માં આવેલી દવા ની કંપનીઓ હા ભોગાવો નદીમાં પાઇપલાઇન વાટે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે આ ભોગાવો વધુને વધુ પ્રદૂષિત બનતો જાય છે અને સમય જતા આ ભોગાવો નદીના પ્રદૂષિત પાણીના કારણે જમીનો પણ બંજર બની જાય તો નવાઈ ની વાત નહીં હાલમાં ભોગાવો એટલો બધો પ્રદુષિત બની ગયો છે કે ફુગાવામાં ગામનો કચરો પણ રાખવામાં આવી રહ્યો છે અને ફુગાવાના કાંઠાના વિસ્તારોમાં તો પુરાણ કરી અને વસવાટ પણ થવા લાગ્યા છે છતાં પણ તંત્ર કોઇ પણ પ્રકારનું ધ્યાન દે તું નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ તેની પાસે જ આવેલી હોવા છતાં પણ કારખાના તેમજ ફેક્ટરીઓ અને દવાની કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે ્ જેમની ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના ઉપરથી ચોક્કસ પણે કહી શકાય કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ આવા લોકો સાથે વહીવટ કરતી હોવાનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે

સુરેન્દ્રનગર વઢવાણ નો ભોગાવો પ્રદૂષિત બન્યો છે જેમાં વઢવાણ સુરેન્દ્રનગર શહેરની તમામ પ્રકારની ગંદકી ભોગાવો નદીમાં ઠાલવવા માં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા નિષ્ફળ હોવાનું પુરવાર થયું છે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પણ સંદતર નિષ્ફળ નીવડી છે ત્યારે હાલમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા પણ આ અંગેની કાર્યવાહી કરવામાં નિષ્ફળ હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે સુરેન્દ્રનગર વઢવાણ ભોગાવો નદીમાં ગાંડા બાવળોનો ચોથ વળી ગયો છે અને સુકાઈ ગયા છે એટલે કે બળી ગયા છે ત્યારે આવનાર દિવસોમાં વઢવાણ એક ખેતીપ્રધાન ગામ છે ત્યારે ધીરે ધીરે જમીનમાં આ ઝેરી પાણી પ્રદૂષણયુક્ત પાણી ફેલાઈ જશે તો ખેતી નહીં થાય અને ખેતરો પણ નિષ્ફળ જવાના તેવું હાલમાં બાવળો સુકાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભોગવવા નદીમાં દબાણો પણ વધ્યા છે .

વઢવાણના પ્રદૂષિત ભોગવવા ઉપર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો અનેક જમીનો બંજર બની જશે તેવું હાલમાં ચર્ચા રહ્યું છે સુરેન્દ્રનગર વઢવાણ શહેરના ભોગાવો નદી પસાર થઈ રહી છે તેમાં અનેક કંપનીઓના કેમિકલ યુગ પાણી છોડવામાં આવી રહ્યા છે તેમજ સુએજ પ્લાન્ટનું પાણી પણ ભોગવવા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં વઢવાણના ભોગવવામાં વઢવાણ થી સુરેન્દ્રનગર સુધીમાં અસંખ્ય બાવળો સુકાઈ ગયા છે

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના પૂર્વ રાસભ્ય ખુદ પણ પ્રદૂષિત પાણી ભોગવવા પસાર કરી રહ્યા છે.તેઓ હાલમાં આપ પાર્ટીના કમલેશભાઈ કોટેચાએ જણાવ્યુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.