Abtak Media Google News

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 54 દિવસમાં 52 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂના કારણે થયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોનાં મોત થયા છે. પડધરીની 52 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ધારીના 52 વર્ષીય પુરૂષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

 રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230 દર્દીઓ જાહેર થયા છે. જ્યારે 52 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.