Abtak Media Google News

મોરબી જિલ્લામાં છેલ્લા ૨ વર્ષથી મચ્છુ-૨ કેનાલનું કામ ચાલી રહ્યું છે. આટલા લાંબા સમયથી ચાલતું આ કામ પૂરું ૫ ટકા પણ થયું નથી. ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી મોરબી તાલુકા એસોસિએશને સિંચાઈ મંત્રીને રજુઆત કરી હતી.

મોરબી તાલુકા સરપંચ એસોસિએશને સિંચાઈ મંત્રીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં છેલ્લા ૨ વર્ષથી મચ્છુ- ૨ કેનાલનું કામ ચાલી રહ્યું છે. હાલમાં આ કેનાલનું કામ પૂરું ૫ ટકા પણ થયું નથી. જો આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહિ આવે તો તેની સીધી અસર ખેડૂતો પર પડશે અને ખેડુતોને હાલાકી વેઠવી પડશે.

વધુમાં મોરબી તાલુકા સરપંચ એસોસિએશને મચ્છુ કેનાલ-૨નું કામ ક્યાં કારણોસર બંધ રાખવામાં આવ્યું છે તેનો જવાબ માંગ્યો હતો. અને કેનાલનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.