Abtak Media Google News

Table of Contents

શ્રાવણ-ભાદરવો અને આષો મહિનાના વિવિધ તહેવારોમાં સાતમ-આઠમના તહેવારો સાથે શિવજીની આરાધના, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, શ્રાધ્ધ અને  નવરાત્રી-દિપોત્સવી પર્વ આપણી  સંસ્કૃતિ સાથે જોડાયેલા છે

બ્રહ્માજીએ સૌ પ્રથમ શ્રાધ્ધ વિધી સૃષ્ટિ લોકમાં પ્રચલિત કર્યા બાદ મૃત્યુ લોકમાં  નિમિરાજાએ પ્રથમ શ્રાધ્ધ કયુર્ર્ં: ભાદરવા માસનો શુકલપક્ષ દેવોનો અને કૃષ્ણપક્ષ પિતૃઓનો ગણાય છે:  તહેવારોની ઉજવણી પાછળ આપણા મહાનઋષીમુનિઓની વાત સાથે તેની પાછળ વૈજ્ઞાીનક કારણો પણ જોડાયેલા છે

કાઠીયાવાડના લાકેોને શ્રધ્ધા-આસ્થા વિશેષ હોવાથી દરેક તહેવારો પુરતા ભકિતભાવથી ઉજવાય છે:  મહાભારતના શાંતિપર્વના દાન-ધર્માનુશાસનમાં શ્રાધ્યનો મહિમા વર્ણવાયો શ્રાવણ ભાદરવો વિધીઓ માટે પવિત્ર  ગણાય છે

આપણા ગુજરાતી કેલેન્ડરના છેલ્લા ત્રણ મહિના શ્રાવણ, ભાદરવો અને આસો તહેવારોના મહિના ગણાય છે. સાતમ આઠમના તહેવારો સાથે શીવજીની આરાધના, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, શ્રાદ્ધનો માસ બાદમાં નવરાત્રી અને   દિપોત્સવની પર્વ આવે છે. કાલથી શ્રાધ્ધ પક્ષનોપ્રારંભ થાય છે. બ્રહ્માજીને સૌ પ્રથમ શ્રાધ્ધ વિધી સૃષ્ટિલોકમાં પ્રચલીત કર્યા બાદ મૃત્યુલોકમાં  નિમિરાજાએ સૌ પ્રથમ પહેલી શ્રાધ્ધય  વિધી  કરી હતી. પ્રાચિન કાળથક્ષ ચાલી આવતી આ પરંપરા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે.   મહાભારત શાંતીપર્વના  દાન ધર્માનુૂશાસનમાં પણ શ્રાધ્ધનો મહિમા વર્ણવાયો છે.  ભાદરવા માસનો શુકલ પક્ષ દેવોનો અને કૃષ્ણપક્ષ પિતૃઓનો ગણાય છે.   આપણી સંસ્કૃતિ પરંપરાઓ તહેવારોની  ઉજવણી  પાછળ આપણા મહાન  ઋષીમૂનિઓની વાત સાથે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો  પણ જોડાયેલા હોય છે.

શ્રાધ્ધ પક્ષમાં કાગડાની કાગવાસનું  મહત્વ  વિશેષ છે.  કાગવાસ પાછળની વાતમાં, આપણા પુરાણોની દ્રષ્ટિએ  જોઈઅતો કાગડાનું  આયુષ્ય આશરે 200 વર્ષ જેટલુ હોવાથી  તેને આપણા પૂર્વજો જોયા છે. એમ મનાય છે, તેથી તેને કાગવાસ  નાખવાનો મહિમા છે. બીજી વાત આ ભાદરવા મહિનમાં જ કાગડી સગર્ભા બને છે અને તેના  બચ્ચાને  જન્મ આપે છે. કાગડીને પુરૂતુ ખોરાક કે   અન્ન મળી રહે અને તેના સાથે તેના બચ્ચા  પણ તૃપ્ત થાય તે માટે ઋષીમૂનિઓની આ એક વ્યવસ્થા હતી. પિતૃઓને કાગવાસ અને  પીપળાના  વૃક્ષને પાણી પાવાનો મહિમા છે.  આ પાછળ પણ એક માન્યતા એવી છેકે કાગડાના  ચરકમાંથી આ વટવૃક્ષકે પીપળાનું સર્જન  થાય છે. આ વૃધ્ધ સૌથી વધારે ઓકિસજન   આપે છે. તેથી    પણ વૈજ્ઞાનિક  અભિગમ સાથેની પરંપરા ચાલી આવી છે.

ગુજરાતના ત્રણ સ્થળોએ  પિતૃ  તર્પણની વિધી થાય છે. જેમાં પ્રભાસપાટણ પ્રાંચીમાં  પિતૃતર્પણ અને સિધ્ધપુરમાં માતૃતર્પણ થાય છે.  મોરબી પાસે આવેલ રફાળેશ્ર્વર મંદિરે માતૃ અને પિતૃતર્પણ બંને એક સાથે  વિધી થાય છે.  આ સ્થળોની પવિત્ર ભૂમિઉપર ધાર્મિક વિધી કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કરી પારસ પિપળાને એક લોટો જળ  ચઢાવીને પિતૃઓનાં મોક્ષ માટે વીધી કરાય છે. આ જગ્યાએ જ  કુંડમાં  ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે. તેથી તેમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

આપણા શાસ્ત્રો મુજબ પિતૃઓ માટે આપણે જે કાંઈ કાર્ય  શ્રધ્ધાાથી કરીએ તેને શ્રાધ્ધ કહેવાય છે આ કાર્યક્રમમાં શ્રધ્ધાહોવી જરૂરી છે. પૃથ્વી પર નાં વસતા મનુષ્ય માત્ર ઉપર દેવઋણ  આચાર્ય ઋણ અને  પિતૃઋણ  જેવા ત્રણ પ્રકારના ઋણ હોય છે. શ્રાધ્ધનો મહિમા જ એ છે કે આપણ આપણા વડવાઓને શ્રધ્ધાસુમન અર્પીએ  બધાજ  પ્રકારના શ્રાધ્ધ ઉતમ ગણાય છે.   પણ અમુક શ્રાધ્ધનું  વિશેષ મહત્વ છે. કૃષ્ણપક્ષનું એકમનું   શ્રાધ્ધ સંતતિ પ્રદાન કરે છે. ભાદરવો આખો માસ આ વિધિઓ માટેનો પવિત્ર  ગણાય છે.  અમાવસ્યાનું શ્રાધ્ધએ સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

શ્રાધ્ધતમાં દુધપાક અને ખીરનું  મહત્વ પણ વૈજ્ઞાનિક  કારણો  સાથે જોડાયેલું  છે, આજ દુધ ભાદરવાના કૃષ્ણપક્ષથી શરૂ કરીને શરદપૂર્ણિમાં દુધ પૌવા સુધીનું  મહત્વ છે.  આ વાતાવરણમાં આયુર્વેદની રીતે જોઈએતો એસીડીટી જેવા રોગોને નાશ કરે છે. આપણા પૌરાણિક   ગ્રંથ વિષ્ણુ પુરાણમાં પણ દુધ પાક ભોજન પિતૃઓને   તુપ્ત   કરવાની વાત કરે છે. ધર્મસિંધુમાં કહેવાયું છે કે શ્રાધ્ધ કરવાથી બે હજાર વર્ષો સુધી   પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે.

આપણને પ્રશ્ર્ન થાય કે શ્રાધ્ધ પક્ષમાં આપણા પૂર્વજો ખરેખર કાગડાના રૂપમાં આવીને આપણી કાગવાસ જમતા હશે તો તેના વિશે પણ  ધણી લોકવાયકા પ્રચલીત છે. આપણા શાસ્ત્રોમાં કાગડો અને પીપળાને પિતાનું  પ્રતિક માનવામાં આવે છે,  તેથી કાગડાને ભોજન અને પિપળાને પાણી પાવાથક્ષ પૂર્વજો  સંતુષ્ટ થાય છે.   શાસ્ત્રો અનુસાર કોઈપણ સક્ષમ આત્મા કાગડાના શરીરમાં ભ્રમણ કરી શકે છે. એક વાત એવી પણ છે કે જયારે આત્મા નીકળે છે ત્યારે પ્રથમ તે   કાગડાનું  સ્વરૂપ   ધારણ કરે છે. કાગડાને  યમરાજાનું પ્રતિક પણ ગણાય છે. એક ધાર્મિક   માન્યતાઓઅનુસાર કાગડાને   પણ   ભગવાનના પુત્રો માનવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પક્ષીઓમાં એક માત્ર કાગડાને ભવિષ્યમાં બનનારી  ઘટનાની  જાણ પ્રથમ થાય છે.

કાગડા વિશેની સૌથી અચરજ પમાડે તેવી દંતમકથામાં તે  આ પક્ષીએ અમૃતનો સ્વાદ   ચાખ્યો હોવાથી કાગડો કયારેય કુદરતી રીતે મૃત્યુ  પામતો નથી તેનું મૃત્યુ રોગ અને વૃધ્ધવસ્થા સાથષ આકસ્મિક જ થાય છે. જયારે જુથમાં રહેતા એક કાગડાનું મૃત્યુ થાય ત્યારે તેના કોઈ સાથીઓ ખોરાક ખાતા નથી કાગડાઓ ભેગા મળીને ખોરાક લે છે એકલા ખાતા નથી. કાગડો  થાકયા વગર ઘણુ ઉડી શકે છે. અને ખુબજ દુર્લભ ગણાતો   સફેદ કલરનો કાગડો પણ હોય છે. આપણા મહાન મંદિરો કે નદીઓનાં ઘાટઉપર પંડિતો આપણી સાત પેઢીના નામ શોધી આપે છે. આજના યુગમાં પણ કમ્પ્યુટર વગર 150 વર્ષ જુના પુસ્તકો  એક જ ક્ષણમાં આપણને માહિતી આપે છે.

ધાર્મિક  શાસ્ત્રો અનુસાર અવંતીકા શહેર જે આજે ઉજજૈન નગરી તરીકે ઓળખાય છે.   ત્યાં શ્રાધ્ધપક્ષ શરૂ થતા સમગ્ર દેશમાં લોકો આ સ્થળે વિધી માટે  આવે છે. ક્ષીપ્રા નદીને મોક્ષની દાતા  માનવામાં આવે છે. આપણા દેશમાં બિંદુ સરોવર માતૃ શ્રાધ્ધ માટે પ્રખ્યાત ગણાય છે. અર્પણ, તર્પણ અને સમર્પણ એટલે માતૃશ્રાધ્ધ તર્પણથી તૃપ્તી અને માતૃઓની મુકિત  સમા આ બિંદુ સરોવરમાં 33 કરોડ દેવતાઓનું મોસાળ ગણવાામાં આવે છે. આ સરોવર સાથે મહર્ષિકદમ અને માતા દેવહુતિની વાત જોડાયેલી છે.આપણા  જુનાગઢના દામોકુંડનું પણ શ્રાધ્ધપક્ષમાં વિશેષ મહત્વ છે.

આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન અને નરસિંંહ મહેતાના પિતા દામોદરજી દ્વારા  ાધ્ધ કર્મ થયું હતુ. પિતૃ તર્પણ માટે આ કુંડને પવિત્ર માનવામાં આવે છે. શ્રાધ્ધ પક્ષને  પિત્રુપક્ષ પણ કહેવાય છે. આ પવિત્ર માસ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થઈને અશ્ર્વીન (આસો) મહિનાની નવી ચંદ્ર સુધી ચાલુરહે છે. મહાભારતના કાળમાં પણ શ્રાધ્ધનું  વર્ણન છે, ભીષ્મ પિતામહે યુધિનિષ્ઠરને શ્રાધ્ધ વિશે વાત કરી હતી.

ગુજરાતના આ સ્થળોએ થાય છે પિતૃતર્પણ

આપણા ગુજરાતમાં આ સ્થળોએ પિતૃ તર્પણ વિધી થાય છે. પ્રભાસપાટણ, પ્રાંચીમાં પિતૃતર્પણ, સિધ્ધપુરમાં માતૃતર્પણ થાય છે. જોકે મોરબી પાસેના રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે   માતૃ અને પિતૃતર્પણ બંને એક સાથે થાય છે. આ ધાર્મિક   વિધી બાદ બ્રહ્મકુંડમાં સ્નાન કરીને પારસ પિપળે પાણી ચડાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાધ્ધ થયું તે સ્થળ જુનાગઢનો  દામોદર કુંડ છે. આ જગ્યા  શ્રાધ્ધ પક્ષમાં ખુબજ  ધાર્મિક મહત્વ  ધરાવે છે.   પિતૃતર્પણ માટે આ કુંડને  અતિ પવિત્ર  ગણવામાં આવે છે.

મહાભારત ગ્રંથ મુજબ શ્રાધ્ધ ના ત્રણ શરીર

આપણા મહાભારત ગ્રંથમાં  ઉલ્લેખ છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાધ્ધ વિશે વાત  કરી હતી. તપસ્વી અત્રીએ મહર્ષિ નિમીને શ્રાધ્ધનો ઉપદેશ આપ્યા બાદ મહર્ષિ નિમિએ પ્રથમ પિતૃશ્રાધ્ધ કર્યું તે  જોઈને ઋષીમુનિઓ પણ કરવાનું શરૂ કર્યું. મહાભારત મુજબ શ્રાધ્ધના ત્રણ શરીર છે. જેમાં પ્રથમ સમુહપાણીમાં આપવામા આવે છે, બીજુ શરીર પત્ની અને ગુરૂઓને અને ત્રીજુ અગ્નિદેવને અપર્ણ કરવામાં આવે છે. ઋષીમૂનિઓ એઆપણી અને પ્રકૃતિના રક્ષણ માટે વિવિધ ઉત્સવો અને પરંપરાઓને આપણી આસ્થા સાથે ગોઠવ્યા છે.

શાસ્ત્રોમાં  કાગડા અને પીપળાને  પિતાનું પ્રતિક મનાય છે

શાસ્ત્રો અનુસાર કોઈપણ સક્ષમ આત્મા કાગડાના શરીરમાં  પ્રવેશ કરી છે. કાગડો અને  પીપળને  પિતાનું પ્રતિક માનવામાં આવે છે. કાગડાને મુલાકાતી અને પૂર્વજોના આશ્રયનું સુચક  માનવામા આવે છે. કાગડો ભવિષ્યમાં બનનારી ઘટનાથી પહેલેથી  વાકેફ હોય છે. તે યમરાજનું પ્રતિક મનાય છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ વાત કરીએ તો કાગડાનું  આયુષ્ય બસો વર્ષ   જેટલુ હોવાથી તેણે આપણા પૂર્વજોને  જોયા છે એમ માની શકાય અને તેથી કાગવાસ નાખવાનો મહિમા છે.  વિષ્ણુ પુરાણ અનુસાર દુધપાકનું  ભોજન એ  પિતૃઓને તૃપ્ત  કરવાવાળુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.