Abtak Media Google News

 

પાણીવેરા પહોંચમાં ગોલમાલ મામલે ડી.ડી.ઓ. દ્વારા લેવાયું પગલું

 

જામનગર તાલુકા ના સચાણા ગામ ના સરપંચ ને પાણીવેરા માં બેદરકારી અને ગેરરીતી આચરવા બદલ જિલ્લા વિકાસ અધીકારી દ્વારા સસ્પેન્ડ કરવા માં આવ્યા છે. સાચણા ગામ માં વર્ષ 2018-2021 સુધી માં પાણી વેરા ની ખોટી પહોંચ બનાવવામાં આવી હતી અને હિસાબ રાખવા માં આવ્યો ન હતો.આ અંગે ગામ ના ફારૂકભાઈ ગંઢાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ કરવા માં આવી હતી કે ગામ ના સરપંચ જુમભાઈ કકકલ અને તેના પુત્ર જાકિર દ્વારા પાણી વેરા ની ખોટી પહોંચ બનવાઈ હતી.આથી તપાસ કરાવવામાં આવતા રૂ. 4400 ની છ નંગ પહોંચ જમા લેવાઈ ન હતી અને 28 પહોંચ રોજમેળ માં લેવાઈ ન હતી. અને તેમાં નામ લખવા માં આવ્યા ન હતા. આ તપાશ ના અંતે ડી ડી ઓ દ્વારા સરપંચ જુમભાઈ કકકલ ને સસ્પેન્ડ કરવા માં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.