Abtak Media Google News

હિન્દી ફિલ્મોના ખતરનાક ખલનાયક અને અદભૂત સહાયક અભિનેતા પ્રાણે 1940 થી 1947 દરમિયાન હિરો તરીકે અને 1942  થી 1991 સુધી સફળ વિલનની ભૂમિકા ભજવી હતી: 2007 સુધી વિવિધ ફિલ્મોમાં નાની મોટી ભૂમિકા ભજવી હતી

3પ0 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ ને ઉપકાર અને જંજીર જેવી ફિલ્મોમાં તેમનો શ્રેષ્ઠ અભિનય દર્શકો આજે પણ યાદ કરે છે: તેની ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાને કારણે તેના પાડોશી પણ તેની સાથે વાત ન કરતા

પ્રાણે ખલનાયકની ભૂમિકાને એક નવી દીશા આપીને સતત 60 વર્ષ સુધી બોલીવુડમાં રાજ કર્યુ. 1960 થી 1980 ના બે દાયકાની લગભગ બધી જ ફિલ્મોમાં પ્રાણ અચુક જોવા મળતા હતા

એક સમય એવો હતો કે કોઇ માતા પોતાના સંતાનનું પ્રાણ નામ રાખતી, કારણ કે હિન્દી ફિલ્મોમાં સૌથી સફળ વિલન તરીકે પાત્રોને અસર કરી દીધા હતા. ફિલ્હોમાં વિલન ઉપરાંત ચરિત્ર ભૂમિકામાં તેમનો અભિનય નીખરી ઉઠતો, ઉપકાર અને જંજીર  આ બે ફિલ્મોમાં તેમના અભિનયે તેમને અમર બનાવી દીધા હતા. 1ર ફેબ્રુઆરી 1920 માં દિલ્હી ખાતે તેમનો જન્મ થયો.

ફિલ્મી પડદાના વિલનની નફરત કરતાં. વિલનની ભૂમિકા ભજવનાર અસલ જીંદગીમાં તેવા જ હશે તેમ માનીને પ્રાણની આજુબાજુ રહેના પાડોશી પણ તેની વાત ન કરતાં. પ્રાણનો ખલનાયક તરીકે અભિનય એટલો જીવંત હતો કે મહિલાઓ થિયેટર છોડી બહાર નીકળી ગઇ હતી. ઉપકાર ફિલ્મમાં મલંગ ચાચા, જીંજીરનો શેરખાન અને પરિચય ફિલ્મમાં દાદાના પાત્રએ દર્શકોના દિલ જીતી લીધા હતા. હમણાં જ તેની 101મી જન્મજયંતિ ઉજવાઇ હતી. પ્રારંભે તે પ્રેસ ફોટોગ્રાફર તરીકે કાર્ય કરતા હતા. એક વાર એક દુકાને પ્રાણ ઉભા હતા ને એક નિર્માતા ત્યાંથી નીકળ્યા ને પ્રાણને પુછયું નું સુંદર છે ફિલ્મોમાં કેમ કામ નથી કરતો, પ્રાણે હા પાડીને 1940 તે જ નિર્માતા ની ફિલ્મ ‘યમલા જટ’ નાનકડી ભૂમિકાથી કારકીર્દી શરુ કરી.

ફિલ્મ જગતના પ્રાણ એક માત્ર એવા કલાકાર છે કે તેને બધા પાત્રો સ્ક્રીન પર ભજવ્યા છે. પ્રાણને સ્પોર્ટસનો ઘણો શોખ હતો. 1950માં તેમની પોતાની ફુટબોલ ટીમ હતી. જીવનકાળ દરમ્યાન તેમને વિવિધ એવોર્ડ પણ મેળવ્યા હતા. તેઓ પોતે ઘણા સંતુષ્ટ હતા. 1ર જુલાઇ 2013ના રોજ આ મહાન ખલનાયકે ફાની દુનિયાએ અલવિદા કહી દીધું હતું. તેમની મહત્વની ફિલ્મોમાં ખાનદાન, કાશ્મીર કી કલી, ઉપકાર, જંજીર, ઔરત, બડી બહન, પરિચય, જીસ દેશ મે ગંગા બહી હે, હાફ ટીકીટ, પૂરબ ઔર પશ્ર્ચિમ, ચોરી મેરા કામ, કાલીયા, વિકટોરીયા નં. ર03 અને ડોન જેવી ફિલ્મો ખુબ જ સફળ રહી હતી.

હિન્દી ફિલ્મોમાં નાયક, નાયિકા અને ખલનાયક આ ત્રણેય પાત્રોનું મહત્વ છે. હિરોની જેમ ખલનાયક પણ મહત્વનો છે. આ વાત પોતાના દમદાર અભિનયથી પ્રાણે સાબિત કરી દીધી હતી. તે અદભૂત અદાકારાની સાથે ઉમદા દિલના વ્યકિત હતા. તેમને અનેક ઉગતા કલાકારને તક આપવામાં ઘણી મદદ કરી હતી. જેમાં અમિતાભને જંજીરમાં પ્રાણના કહેવાથી જ પ્રકાશ મહેરા એ ચાન્સ આપ્યો હતો. પ્રાણે તેમના પાત્રોમાં અનેક રંગો ભરીને પાત્રને અમર બનાવી દીધું હતું. 1940ના દશકામાં પ્રાણે ફિલ્મમાં હિરોની ભૂમિકા પણ ભજવી જેમાં ખાનદાન, પિલપિલી સાહેબ અને હાલાકુ જેવીમાં મુખ્ય અભિનેતાનો રોલ કર્યો.બિમલ રોયની મધુમતિ ફિલ્મ બાદ તેના વખાણ થતાં તેમને ખલનાયકની ભૂમિકા વિશેષ મળવા લાગી.

1958 થી 1970ની  શ્રેષ્ઠ ફિલ્મો વિલન તરીકે પ્રાણ જ હોય કયારેય તો એક જ વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો આવે. જુના અભિનેતા રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, શમ્મીકપુર, બિશ્ર્વજીત, ધર્મેન્દ્ર, સુનિલ દત્ત, રાજેશ ખન્ના જેવા સાથે તેમણે અનેક ફિલ્મો વિલનના પાત્રમાં કરી. 1960 થી 70 ના દશકાની મોટા ભાગની ફિલ્મોમાં પ્રાણ જ ખલનાયક હોયને છેલ્લે હિરો સાથે તેમની અચુક ફાઇટ હોય જ, જોની મેરા નામ ફિલ્મમાં દેવાનંદ સાથે શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી જે આજે પણ દર્શકો ભૂલી નથી શકયો.

ફિલ્મી પદડે હિરો સાથે ફાઇટમાં હારી જતાં ખલનાયક લોક ચાહનામાં હિરો કરતાંય આગળ નીકળી જાય છે. તેમાં પ્રાણનું નામ સૌથી ટોચ ઉપર આવે છે. પ્રાણનો દર્શકોમાં ખૌફ હતો. તેમનું મુળનામ પ્રાણ કિશન સિકંદ હતું પણ ખાલી પ્રાણથી જ બોલીવુડમાં મશહુર થઇ ગયા. ખલનાયકમાંથી મનોજકુમારે તેની ફિલ્મ ઉપકારમાં મળંગ ચાચાનો રોલ આપ્યો અને તેમના પર ચિત્રાંકન થયેલ. ‘કસ્મે વાદે પ્યાર વફાસબ’ ગીત લોકોના માનસ પટ પર આજે પણ છે. તેમની પ8ની શુકલા સિકંદને બે પુત્રો અરવિંદ – સુનિલ તથા પુત્રી પિંકી હતા. પ્રાણનો સક્રિય ફિલ્મ ગાળો 1940 થી 2007 રહ્યો જેમાં 3પ0 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ.

પ્રાણે લગભગ તમામ હિરો-હિરોઇન સાથે કામ કર્યાનો એક રેકોર્ડ છે. જુની ફિલ્મોમાં તેના હાવભાવ, આંખોના ઇશારાથી દર્શકોમાં શ્રેષ્ઠ વિલનની છાપ ઉપસાવી હતી. પ્રાણ એક બે જોડ ખલનાયક હતા. એ જમાનામાં તેની સામે કેટલાય હિરો, હિરોઇન, ખલનાયક આવ્યાને ગયા પણ પ્રાણ તેના સ્થાને અડિખમ જ રહ્યા હતા. તેમની સાચી પ્રગતિ નુરજહાં સાથેની ફિલ્મ ખાનદાન હતી, જે બોલીવુડની સફળ ફિલ્મ હતી. તેમણે જીદી ફિલ્મ પછી આવેલા અપરાધી ફિલ્મમાં કામ કરવાના માત્ર 600 રૂા. મળ્યા હતા. તે એક બોલીવુડની શાન હતા. તેને તેના જીવનમાં ઘણા પુરસ્કારો એવોર્ડ મળ્યા હતા. જેમાં 1967-69-72 શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ને 1997 માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે 2013માં સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે  અને પદમભુષણ એવોર્ડ મળ્યો હતો.

પ્રાણે એક રામલીલામાં સીતાની ભૂમિકા ભજવી હતી. જેમાં જાણીતા વિલન મદનપૂરીએ રામનું પાત્ર નિભાવ્યું હતું. લેખક વલી મોહમ્મદે પ્રથમવાર ચાન્સ આપ્યો હતો. 1942માં આવેલી ખંડન, તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. આ અગાઉની ત્રણ-ચાર ફિલ્મો પંજાબી હતી. પ્રાણે 1942 થી 1946 સુધી લાહોરમાં 22 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું. પછી તે મુંબઇ આવી ગયાને 1948 થી તેમને બોલીવુડમાં પગદંડો જમાવવાનું શરુ કર્યુ. ખલનાયક તરીકેની તેમની પ્રારંભની સફળ ફિલ્મોમાં જીદી અને બડી બહન હતી.

દિલીપકુમાર , દેવાનંદ અન રાજકપૂર સાથે પ્રારંભની ફિલ્મોમાં વિલન તરીકે વિશેષ જોવા મળ્યા હતા.તે સૌથી વધુ ફિ લેવા વાળો વિલન કહેવાતા હતા. 1964થી તેને ખલનાયક સાથે હાસ્ય ઉમેરીને પૂજા કે ફૂલ, કાશ્મીર કી કલી જેવી ફિલ્મો કરીને દર્શકોને ખુશ કરી દીધા હતા. તેમણે કોમેડી ફિલ્મોમાં સાધુ ઔર શૈતાન, લાખો મે એક, આશા, બેવકુફ, હાફટીકીટ અને મનમૌજી જેવી હિટ ફિલ્મો કરી હતી. 1967 માં ઉપકાર ફિલ્મ માટે તેમને પ્રથમ વાર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો ને મનોજ કુમાર સાથે બેઇમાન, સન્યાસી, દશ નંબરી જેવી ફિલ્મો પણ કરી હતી.

ખલનાયકમાંથી ચરિત્ર અભિનેતાની છબી ફિલ્મ નન્હા ફરિશ્તા, જંગલ મે મંગલ, ધર્મા, રાહુકેતુ, એક કુવારી એક કુવાર, જેવી ફિલ્મોથી તેની બોલીવુડ યાત્રાનો નવો વણાંક જોવા મળ્યો હતો.1969 થી 1982 સુધી તે બોલીવુડમાં સૌથી વધુ ફિ લેનાર કલાકાર હતા. ખુનકા રિશ્તા ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળેલ હતા. શહિદ (1965), જીસ દેશ મે ગંગા બહતી હે (1960), જોની મેરા નામ (1970), જંજીર (1973), ડોન (1978) અને અમર અકબર એન્થની (1977) ની ફિલ્મો ખુબ જ સફળ રહી હતી. તેમનો પુત્ર સુનિલ ખુબ જ પ્રસિઘ્ધ એડફિલ્મ મેકર છે. પ્રાણે ખલનાયકની ભૂમિકાને ઉંચી બનાવી દીધી સતત 6 દાયકા બોલીવુડમાં રાજકપુર 1960 થી 1980 વચ્ચેની તમામ ફિલ્મોમાં લગભગ પ્રાણ અચુક જોવા જ મળે છે.

પ્રાણ એક બેજોડ ખલનાયક

એ જમાનામાં કેટલાય હિરો – હિરોઇન- વિલન આવ્યાને ગયા પણ પ્રાણ એક બેજોડ ખલનાયક હોવાથી અડિખમ રહ્યા. પ્રારંભે તેમણે માત્ર 600 રૂપિયા ફિલ્મના મળ્યા હતા. 196, 69, 2 માં શ્રેષ્ઠ અભિનેતાનો અને 1997 માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. છેલ્લે 2013માં સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે અને પદમભૂષણ એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું.

તેમની પ્રથમ ફિલ્મ 1942માં આવેલી ‘ખંડન’ હતી, આ અગાઉ તેમણે ત્રણ-ચાર પંજાબી ફિલ્મો કરી હતી. 1942 થી 1946 સુધી લાહોરમાં રર જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું. 1948 થી હિન્દી ફિલ્મોમાં પગ દંડો જમાવી દેતા દિલીપકુમાર, દેવાનંદ, રાજકપૂર જેવા હિરો સાથે પ્રારંભની ફિલ્મોમાં મુત્યત્વે વિલનની ભૂમિકા ભજવી હતી. 1969 થી 1982 સુધી તે બોલીવુડમાં સૌથી વધુ ફિ લેનાર વિલન હતા. તેમને સફળ ફિલ્મોમાં જીસ દેશમે ગંગા બહતી હે, ડોન, જોની મેરા નામ, અમર અકબર એન્થની, જંંજીર, ઉપકાર અને શહિદ જેવી ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.