Abtak Media Google News

જામનગરના ખીમલિયા ગામની સીમમાં પાણીના વોકળામાંથી અડધી દાટેલી હાલતમાં મળી આવેલા એક યુવાનના અર્ધ નગ્ન મૃતદેહના કિસ્સામાં પોલીસે ત્રણ શકમંદોની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે. આ હત્યા આડાસંબંધના મામલે થઈ હોવાનું તારણ મળવા પામ્યું છે.

Advertisement

જામનગર નજીકના ખીમલિયાની સીમમાં આવેલા એક ખેતર નજીકના પાણીના વોકળામાંથી ગયા રવિવારે એક યુવાનની અર્ધ દાટેલી લાશ મળી આવી હતી જેનો પોલીસે કબજો સંભાળી પી.એમ. કરાવ્યું હતું. પી.એમ.ના પ્રાથમિક તારણમાં આ યુવાનનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો અંદેશો વ્યકત થયો હતો.

પોલીસે આ યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધર્યા પછી હાલમાં ત્રણેક જેટલા શખ્સોની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરી છે. આ યુવાનની આડાસંબંધના મામલે હત્યા કરી તે ભેદને છૂપાવવા માટે પુરાવાનો નાશ કરવા અને મૃતકની ઓળખ ન મળે તે માટે નગ્ન કરી તે વોકળામાં નાખી દઈ દાટવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ શખ્સોની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.