Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં ત્રણ વિસ્તારમાં ત્રણ યુવાનોએ ગળાફાસો ખાઇ આપઘાત કર્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં બનાવોમાં કુબલીયાપરામાં રહેતા યુવાને અને કાલાવડ રોડ પર રહેતા યુવકે અગ્મય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. અને ત્રીજા બનાવમાં આજી ડેમ નજીક રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા યુવાનની બહેનના છુટાછેડા થતા તેની પત્ની પિયર જતી રહેતા તેનું માઠુ લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે.

કુબલીયા પરા અને કાલાવડ રોડ પર અગમ્ય કારણે યુવકોએ જીવન ટુંકાવ્યું

પ્રથમ બનાવમાં કુબલીયા પરા-4 મા રહેતા અનીલ મનસુખભાઇ સોલંકી નામના રપ વર્ષીય યુવાને ગઇકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કર્યાની જાણ થોરાળા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરુરી કાગળો કરી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા અજીતભાઇ મનસુખભાઇ સીસોદીયા (ઉ.વ.36)એ મોડી રાત્રીના પોતાના ઘરે ગળેફાસો ખાઇ લેતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ છે. બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ આપઘાત પાછળનું કારણ જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજી ડેમમાં યુવાનની બહેનના છુટાછેડા થતા તેની પત્ની પિયર જતી રહેતા કરી આત્મહત્યા

ત્રીજા બનાવમાં આજી ડેમ નજીક ગૌશાળા પાસે આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા મહેશભાઇ મુકેશભાઇ કોડીયા (ઉ.વ.26) એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. બનાવની  જાણ પોલીસ સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું.મૃતકના પાંચ વર્ષ પૂર્વે પોપટપરામાં રહેતી યુવતિ સાથે લગ્ન થયા હતા. જયારે તેની બહેન કૈલાસના ત્યાં જ કરવામાં આવ્યા હતા. જેમાં કૈલાસના છુટાછેડા થતા મૃતક યુવાનની પત્ની પિયર ચાલી જતા આ વાતનું માંઠુ લાગી આવતા તેને આ પગલુ ભર્યાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.