Abtak Media Google News

કલાકની ૧૫૦ જેટલી ઉલ્કા ખરતી જોવા મળશે

વર્ષ ૨૦૨૦ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી ૧૩ અને ૧૪ની મધરાત્રે જોવા મળવાની હોઈ ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠ્યા છે.

Advertisement

દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષાનો સુંદર નઝારો જોવા મળશે. આ બાબતે સ્ટારગેજીન્ગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુકુળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમતો આ ઉલ્કા વર્ષાની શરૂઆત ૭મી ડીસેમ્બરથી થઈ ચૂકી છે. અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે. પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ ૧૩મીની રાત્રે એટલે કે રાત્રીનાં ૧૨ વાગ્યા પછીથી શરૂ થતી ૧૪ તારીખના ખરવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગનાઈઝેશન (આઈએમઓ)ના જણાવ્યા મુજબ ઉલ્કા વર્ષાની પરાકાષ્ટા ૧૩મી ની મધ્યરાત્રીના સમયે જોવા મળશે જે ભારતીય ખગોળ શોખીનો માટે આનંદના સમાચાર છે. કેમકે ત્યારે મિથુન રાશી આકાશમાં ઉંચે આવી ગઈ હશે તથા ૧૪મી તારીખે અમાસ હોવાથી ચંદ્રની હાજરી પણ નહી હોવાથી આકાશ દર્શનના રસીયાઓએ ઉલ્કા નિરિક્ષણની તૈયારીઓ આરંભી દીધી છે.

આ બાબતે વધુ માહિતી આપતા ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દૂરબીન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી આ ઘટના નરી આંખે નિરખવાની હોઈ શહેરી પ્રકાશથી દૂર જયાં વધુ અંધારૂ હોય તેવું સ્થળ પસંસ કરવું જોઈએ.

મિથુન રાશીના બે તારા પુરૂષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પૂર્વ તરફ ઉગેલા સહેલાઈથી ઓળખી શકાશે. આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોકકસ ભાગમાં નહીં પણ ચારે તરફ જોવા મળશે. આથી તમારા નિરીક્ષણ સ્થળથ જે દિશામાં વધુ અંધારૂ હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીયત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વર્ષે કલાકની ૧૫૦ ઉલ્કાઓ ખરવાની સંભાવના આઈએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે. દર વર્ષે કચ્છના રણને માણવા આવતા પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન રણનો અવકાશી નજારો માણતા જ હોય છે ત્યારે આ વખ્તે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં વ્હાઈટ રણ કેમ્પેઈનના સહયોગથી ગોઠવવામાં આવે છે. વધુ માહિતી કે જાણકારી માટે સ્ટારગેજીંગ ઈન્ડિયાના નિશાંત ગોર ૯૮૭૯૫૫૪૭૭૦ તથા નરેન્દ્ર ગોરનો ૯૪૨૮૨૨૦૪૭૨ સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.