Abtak Media Google News

111 થી પણ વધુ નાની મોટી વસ્તુઓ દીકરીઓને કરીયાવરમાં આપશે

વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ થકી શહેરની જાણીતી સેવા સંસ્થા યુવા સેના ટ્રસ્ટ રાજકોટ તથા શ્રી બજરંગદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. 8-6-23 ને ગુરુવારના રોજ બન્ને સંસ્થાઓ સાથે મળીને 11 દિકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્નનું કરીયાવરમાં આપવામાં આવશે. પંડિત દિનદયાળ ઉપાઘ્યાય કોમ્યુનીટી હોલ, સેટેલાઇટ ચોક, અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાછળ, પેડક રોડ, રાજકોટ ખાતે સર્વ જ્ઞાતિ સમુહલગ્ન યોજાશે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સોનલબેન વાછાણી જણાવ્યું હતું કે, જેમાં 8મી જુન આપણા રાજકોટના લોકલાડીલા અને અમારી સંસ્થાના સમાજ સેવાના ભેખધારી એવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદયુમસિંહ ઝાલાનો 8મી જુન જન્મદિવસ પણ છે અને 11 દિકરીઓને ટ્રસ્ટના આંગણેથી આશીર્વાદ સાથે અને હર્ષભરી વિદાય આપશે.

આ સમુલ લગ્નમાં દિકરીઓ માટે કરીયાવર ખુબ જ ઉદાર હાથે દાન આપવામાં આવી રહ્યું છે. તેમજ આ પ્રવાહ હજુ પણ સતત ચાલુ છે.

તેમજ દાતાઓએ 11 દિકરીઓને ક્ધયાદાન સ્વરુપે કરિયવારની વસ્તુ તેમજ રોકડ તથા અનાજ કરીયાવર રુપે ઉદાર હાથે પોતાનું યોગદાન આપી શકે છે. યુવા સેના ટ્રસ્ટ રાજકોટ સેવાભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં. 4, અંકુર વિઘાલય મેઇન રોડ ગુરુપ્રસાદ ચોક પાસે રાજકોટ પ્રમુખ પ્રદયુમનસિંહ ઝાલા મો.નં. 99133 10100 તેમજ પ્રોજેકટ મેનેજર સોનલબેન વાછાણી મો. નં. 99986 19870 તેમજ વધુ માહીતી માટે શ્રી બજરંગદાસ બાપુ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, હરીદર્શન કોમ્પ્લેકસ, પહેલો માળ, ગોકુલ પાર્ક ના ગેટની બાજુમાં કોઠારીયા રોડ, રાજકોટ, જનકભાઇ ભડીંગજી મો. નં. 72039 75903, હિરલબેન ભડીંગજી મો. નં. 98795 95183 સંપર્ક કરવા .

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે પ્રમુખ યુવા સેના ટ્રસ્ટ પ્રદયુમનસિંહ ઝાલા, બજરંગદાસ ચેરી. ટ્રસ્ટ જનકભાઇ ભડિંગજી, સભ્ય સોનલબેન વાછાણી, હિરલબેન ભડિંગજી, હર્ષાબેન અનડા, રમાબેન નિમાવત, રમેશભાઇ વ્યાસ, જીજ્ઞેશભાઇ સાગડીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.