Abtak Media Google News

૧૨૭ શાળાઓમાં વર્કશો૫યોજી ૧૬૨૪૯ વિદ્યાર્થીઓ તથા ૭૮૦ શિક્ષકોને રોગ અટકાયતી ૫ગલાં વિશે સમજણ આ૫વામાં આવી.

૧૨૪ બાંઘકામ સાઇટ, ૧૦૫ હોસ્‍પિટલ, ૨૧૫ શાળા, ૨૧૭ કારખાના, ૯૨ હોટલો, ૮૨ સરકારી કચેરીઓમાં મચ્‍છર ઉત્‍૫તિ સબબ તપાસ ૩૪૫ નોટીસ આ૫વામાં આવેલ.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે.રાજકોટ મહાનગર પાલિકાદ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

3 4આરોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્‍છર માનવસર્જિત બંધિયાર અને ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ચોમાસા ઋતુ દરમ્‍યાન ઘરે – ઘરે ચોખ્‍ખુ અને બંઘિયાર પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહેતું હોય, આ રોગો ચોમાસાઋતુ દરમ્‍યાન પ્રભાવી બને છે.

આથી મચ્છર ઉત્પતિ અટકાવવા અને આરોગથી બચવા માટે મચ્છરના પોરાનો નાશકરવોએ અત્યંત આવશ્યક છે. ચોમાસાની ઋતુ દરમ્‍યાન રોગચાળો અટકાવવા રાજકોટના લોકોમાં મચ્‍છર ઉત્‍૫તિ અટકાયતી માટે જાગૃતિ આવે તે માટે આરોગ્‍ય શિક્ષણ તથા બહોળી જનમેદની એકત્રિત થતી હોય તેવી જગ્‍યાઓએ મચ્‍છરના પોરા થતા અટકાવવા સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ.

4

આ ઝુંબેશમાં…

  • ૩૬ સોસાયટીમાં મચ્‍છરના પોરા, મચ્‍છર, પોરાભક્ષક માછલીના જીવંત નિર્દશન દ્વારા વર્કશો૫ યોજી મચ્‍છરોની ઉત્‍પતિ અટકાવવા સમજ આ૫વામાં આવેલ.
  • ૧૨૭ શાળાઓમાં વર્કશો૫ યોજી ૧૬,૨૪૯ બાળકો તથા ૭૮૦ શિક્ષકોને મચ્‍છરના પોરા, મચ્‍છર, પોરાભક્ષક માછલીના જીવંત નિર્દશન દ્વારા મચ્‍છરોની ઉત્‍પતિ અટકાવવા સમજ આ૫વામાં આવેલ
  • ૧૨૪ બાંઘકામ સાઇટ, ૧૦૫ હોસ્‍પિટલ, ૨૧૫ શાળા, ૨૧૭ ઇન્‍ડસ્‍ટ્રિઝ, ૯૨ હોટલો, ૧૪૫ ઘાર્મિક સ્‍થળો, ૮૨ સરકારી કચેરીમાં મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરી આરોગ્‍ય શિક્ષણ આપી જયાં મચ્‍છરના પોરા જોવા મળેલ હોય અથવા મચ્‍છરના પોરાઉત્‍૫ન્‍ન થાય તેવી ૫રિસ્‍થિતી માલુમ ૫ડેલ હોય તેવી ૩૪૫ જગ્‍યાએ નોટીસ આપી રૂા.૧૩,૮૫૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
    2 3

ઉ૫રોકત કામગીરીમાન. મ્‍યુનિ. કમિશનર શ્રી બંછાનિઘિ પાનીની સૂચના અનુસાર આરોગ્‍ય અઘિકારી શ્રી  ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્‍ય અધિકારી શ્રી ડો. મનિષચુનારા, નાયબ આરોગ્‍ય અધિકારી શ્રી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્‍ટ શ્રી વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્‍ટ ઝોન મેલેરિયા ઇનસ્પેકટશ્રી દિલી૫દાન નાંઘુ, વેસ્‍ટ ઝોન મેલેરિયા ઇન્સપેક્ટર શ્રી ભરતભાઇ વ્‍યાસ, સેન્‍ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્પેકટર શ્રી પિનાકીન ૫રમાર તથા સુપિરીયર ફિલ્‍ડ વર્કર, ફિલ્‍ડ વર્કરો દ્વારા કરવામાં આવેલ હતી.

અગામીમાસ દરમ્‍યાન ૫ણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તથા લોકોને મચ્‍છર ઉત્‍૫તી અટકાયતિ માટે સમજણ મળી રહે તે હેતુસર તા. ૫/૭/૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ થી ૧ર:૦૦કલાકે દરેક વોર્ડની ‘’અ’’ વોર્ડ ઓફીસે મચ્‍છરના પોરા, પોરાભક્ષક માછલી, પોસ્‍ટર અને બેનરના માઘ્‍યમથી વિગતવાર સમજ આ૫વા પ્રદર્શન યોજવામાં આવશે તથા આ સ્‍થળેથી પોરાભક્ષક માછલીનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવશે.

5 2

ખુલ્‍લા રહેતા પાણી ભરેલા મોટાટાંકા, અવેડા, હોજ, ફુવારા વગેરેમાં પોરાભક્ષક માછલી મુકવાથી મચ્‍છર ઉત્‍૫તિ અટકાવી શકાય છે.

ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગ અટકાવવા મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સહકાર આપવા નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.