Abtak Media Google News

આજે સોમવતી અમાસ છે અને સાથે આ દિવસે આખો દિવસ રાત્રી શિવયોગ પણ છે સોમવતી અમાસ અને શિવયોગનો ઉત્તમ સંગમ થશે. જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશીના જણાવ્યા અનુસાર ખાસ કરીને સોમવારે અને બુધવારે અને શનિવારે આવતી અમાસ પૂજાપાઠ જપ તપ માટે ઉત્તમ ગણવામાં આવે છે.

આજના દિવસે શુ કરવું ??

અમાસના દિવસે પીપળે પાણી રેડવું . પીપળાની ૧૦૮ પ્રદક્ષિણા કરવી, સોમવતી અમાસના દિવસે શિવજી ઉપર કાળા તલ સાકરવારૂ પાણી શેરડીનો રસ તે અભિષેક કરવો ઉત્તમ ફળ આપનાર બનશે, ગાયોને ઘાસ નાખવુ તેમજ પિતૃ તર્પણ કરાવવું ઉત્તમ ફળ આપનાર છે.

જે લોકોની જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય અથવા તો સ્વભાવ તે જ હોય જે વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં એકાગ્રતાનો હોય તથા જે લોકોને ઊંઘની બીમારી હોય તો આ દિવસે મહાદેવજી ઉપર સાકર વારું પાણી જળ ચડાવવું ઉત્તમ ગણાશે અને બધી જ બીમારીઓ દૂર થશે ખાસ કરીને માનસિક બીમારીઓ દૂર થાય છે જે લોકોને માનસિક કોઈ પર પ્રકારની બીમારી હોય તો દરરોજ મહાદેવજી ઉપર સાકર વાળું જળ તથા જળનો અભિષેક કરવો ઉત્તમ રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.