Abtak Media Google News

Table of Contents

રણથંભોર આપણા સૌથી મોટુ વાઘ અભ્યારણ, વિશ્વના 6000 વાઘ પૈકી 500નું ઘર છે: છેલ્લી ગણતરી મુજબ 3167 વાઘ ભારતમાં છે, પ્રોજેકટ ટાઈગર 1973 શરૂ કર્યો હતો, ત્યારે માત્ર 268 વાઘ હતા: છેલ્લી સદીમાં  90 ટકાથી વધુ વાઘો ગાયબ થઈ ગયા

વાઘના મુખ્ય પાંચ રહેઠાણોમાં શિવાલિક ગંગાના મેદાનો,મધ્યભારત અને પૂર્વીયઘાટ, પશ્ર્ચિમ ઘાટ, ઉત્તર પૂર્વીય ટેકરીઓ, બ્રહ્મપુત્રાના મેદાનો અને સુંદરવન:તેમના કુદરતી રહેઠાણોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય  પ્રણાલીની સ્થાપનાની જરૂર:જૈવવિવિધતાની  જાળવણી સાથે એવું પર્યાવરણ નિર્માણ થવું જરૂરી જયાં મનુષ્ય અને વન્ય જીવન બંને સાથે સાથે ખીલે

આદીકાળથી માનવી વન્ય જીવન સાથે જીવી રહ્યો છે. ત્યારે વિકાસના પગલે જંગલો નષ્ટ થતા  ઘણા પશુ પંખી પ્રાણીઓનાં રહેઠાણો  છીનવાતા  ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ વાઘ દિવસ છે, આનંદની વાત  એ છેકે વિશ્વના કુલ  વાઘ પૈકી  70 ટકા વાઘનૂં ઘર આપણુ ભારત છે. બગડતા પર્યાવરણને કારણે આપણા રાષ્ટ્રિીય પ્રાણીને પણ  મુશ્કેલી પડીરહી છે. જોકે છેલ્લા ત્રણમાં વાઘની સંખ્યા સતત વધી રહી છે. આપણા દેશે વાઘને  બચાવવા આજથી 50 વર્ષ પહેલા  1973માં પ્રોજેકટ ટાઈગર અભિયાન શરૂ કર્યો હતો. જેના પ્રતાપે છેલ્લી વસ્તી   ગણતરી  2022 મુજબ દેશમાં 3167 વાઘ આપણા દેશમાં છે.

Advertisement

આપણા દેશ રણથંભોેર અભ્યારણ વાઘનું સૌથી મોટુ અભ્યારણ છે, જેમાં વિશ્વના 6000 વાઘ પૈકી  500નુૂં ઘર છે. આપણા દેશમાં વાઘના મુખ્ય પાંચ રહેઠાણોમાં  શિવાલિક ગંગાના મેદાનો, મધ્ય ભારત અને પૂર્વિય ઘાટ, પશ્ર્ચિમ ઘાટ, ઉત્તર પુૂર્વની ટેકરીઓ, બ્રહ્મપુત્રાના મેદાનો અને સુંદરવનનો સમાવેશ થાય છે. આજના દિવસે વાઘને તેનું મુળ પર્યાવરણ પાછુ આપવા અને તેના કુદરતી રહેઠાણોની  સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલીની સ્થાપના કરવાનો છે. જેવવિવિધતાની જાળવણી સાથે એવું પર્યાવરણ નિર્માણ થવું જરૂરી છે  જયાં મુષ્ય અને વન્ય  જીવન બંને સાથે સાથે ખીલે.

વાઘ સંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા સૌનો સાથ જરૂરી, ખાસ  કરીને વિદ્યાર્થીઓને સામેલ કરીને તેનામાં ઘણા ગુણો વિકસાવી શકાય છે. આજે શિકાર, વસવાસટની ખોટ, ગેરકાયદે વેપાર, માનવ અને વન્ય જીવનનો સંઘર્ષનો  સમાવેશ થાય છે. ભવિષ્યની પેઢીઓ તેમના અસ્તિત્વને નકકી કરીને તેના રક્ષણ અને સંરક્ષણનાં  મહત્વપર ભાર મૂકે કારણે વન્ય જીવન ટકશે તોજ આપણે ટકી શકીશું. પર્યાવરણમાં પ્રાણીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. વાઘ સર્વોચ્ચ શિકારી છે અને તેમની હાજરી તેની ઈકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઈકો સિસ્ટમ એકંદરે જૈવ વિવિધતાનું  પણ રક્ષણ કરે છે.

ઘણા એશિયન દેશોમાં વાઘનું  સાંસ્કૃતિક અને સાંકેતિક મહત્વ છે. તે શકિત અને સુંદરતાના  પ્રતિકો છે.  આજે દેશના બધાજ નાગરીકે વાઘની દુર્દશા અને સંરક્ષણ બાબતે સાથ આપવો જરૂરી છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ સૌથી મોટી બિલાડીઓનું અસ્તિત્વ છે .

એક અટકલન મુજબ છેલ્લા 100 વર્ષમાં જંગલી વાઘમાંથી  97 ટકા ગાયબ થઈ ગયા છે. 2010થી વિશ્વ વાઘ દિવસ ઉજવાય છે. વાઘની  બગડતી સંખ્યાને વસવાટની ખોટ, આબોહવા પરિવર્તન, શિકાર જેવા  ઘણા પરિબળોને કારણે વૈશ્ર્વિક સ્તરે વસ્તી ઘટી છે, જોકે આપણાદેશમાં વધી રહી છે. એક વાત  નકકી છે કે, વાઘ આપણી વાર્તાઓમાં જીવવાનું શરૂ કરે પહેલા તેને બચાવવો પડશે.

2010માં જયારે વાઘ બચાવવા માટે સૌ એકત્ર થઈને તેના દિવસ ઉજવણીની જાહેરાત કરી ત્યારે વાઘ શ્રેણીના 13 દેશો   ટીએકસ-2માં એક સાથે જોડાયા હતા અને વાઘની વસ્તી 3200માંથી 6000 કરવાનું  લક્ષ્યાંક  રાખેલ હતુ વાઘ મુખ્યંત્વે એશિયા અને આફ્રિકામાં વસે છે. દુર્ભાગ્યવશ ગેરકાયદે હતા  અને રહેઠાણના વિનાશ ને કારણે લુપ્ત થઈ ગયા હતા વાઘની ખોરાકની સાંકળમાં અને ઈકો સિસ્યમના  સંતુલનને જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ જીવો લુપ્ત થાય પહેલા તેને બચાવવા જરૂરી છે. આજે આપણા દેશમાં સફેદ વાઘની  સંખ્યા  પણ ઘણી વધી  ગઈ છે.

આપણા દેશનાં સુંદર   વન્ય જીવન આધારીત નેશનલ પાર્કમાં જિમકાર્બેટે નેશનલ પાર્ક, સુંદરવન, કાન્હાઉધાન, બાંધવગઢ ઉધાન, રણથંભોર,  તાડોબા અંધારી ટાઈગર રીઝર્વ, નવેગાંવ, નાગઝીરા વન્ય જીવન અભ્યારણ, પેરિયાર ટાઈગર રીઝર્વ, સરિસ્કા, ભદ્રા વન્યજીવ જેવા ઘણા અભ્યારણોમાં પર્યાવરણની જાળવણી થઈ રહી છે. આ જગ્યાએ પ્રાણીઓને તેનું નેચરલ વાતાવરણ પણ  મળી રહ્યું છે.

વૈશ્ર્વિક સ્તરે ગ્લોબલ ટાઈગર ડે  ની વાતમાં વિશ્વના ભુટાન, નેપાળ,  ઈન્ડોનેશિયા, મલેશિયા, ભારત,  કંબોડીયા,ચીન, તાઈવાન, જેવા દેશોએ તેના બચાવ કાર્યો માટે મહત્વના  પગલાઓ લીધા છે. જંગલી વાઘની સંખ્યાને બમણી કરવાના લક્ષ્યાંકમાં સૌથી મોટી સફળતા આપણને મળી છે. વાઘ વિશ્વની મોટી બિલાડીઓમાં સૌથી મોટો છે. આ ભવ્ય પ્રાણી તેના વિશિષ્ટ નારંગી અને કાળા પટ્ટાઓનાં દેખાવથી સુંદર લાગે છે. શિકારો તેની ચામડી અને હાડકાનો વેપાર કરવા શિકાર કરે છે. તેના હાડકામાંથી દવા અને  ટોનીક બનાવાય છે. આ પ્રવૃત્તિ વાઘ માટે સૌથી મોટો ખતરો છે. વાઘની  ઐતિહાસીક શ્રેણીના માત્ર સાત ટકા જ બચ્યા છે. આજે તો તેને દતક લેવાની યોજના અમલમાં છે.

આજે વિશ્વ વાઘ દિવસે દર મહિને માત્ર 3 પાઉન્ડ ખર્ચીને દતકલો,  પ્રકૃતિને પ્રેમ કરો, શાળા-કોલેજમાં કાર્યક્રમ, પ્રાણી સંગ્રહાલયની  મુલાકાત, ડબલ્યુ ડબલ્યુએફને  સપોર્ટ કરો. વાઘ સંરક્ષણ જાગૃતિ સાથે તેની વસ્તીનું નિરીક્ષણ, વૈશ્ર્વિક સહયોગ,  નિતિની હિમાયત,  સંલગ્નતા,  ઈકો સીસ્ટમની જાળવણી જેવા પગલાઓ  સાથે સાંસ્કૃતિક અને સાંકેતિક મહત્વને  સમજવાની જરૂર છે.

આ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા અને તેની વસ્તીનું  પુનરૂત્થાન કરવુ જરૂરી છે. વસવાટનું નુકશાન,  લાકડાની કાપી, જેવી   ઘણી સમસ્યાને કારણે હાલ  સાત ટકા જ તેના રહેઠાણો બચ્યા છે.

જંગલ કરતા પ્રાણી સંગ્રહાલયમાં વધુ આયુષ્ય ભોગવે !

વાઘ બિલ્લી પ્રજાતિનું સૌથી મોટુ  જાનવર છે, તે  ધુનિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતીપરનું સૌથી મોટુ  માસાંહારી જાનવર છે. એક વાઘની ઉંમર જંગલમાં 10 વષર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે ગણી વધી જાય છે. માદા વાઘનું ગર્ભધારણ  3.5 મહિના હોય છે. એક વખતમાં  3 થી 4 બચ્ચાને જન્મ આપે છે. વાઘનું મગજ 300 ગ્રામનું હોય છે. માંસાહારી જાનવરોમાં બીજુ મોટુ  દિમાગ છે. વાઘ નવ પ્રકારના હોય છે.

પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. એક વાઘનું વજન 300 કિલો અને 13 ફૂટ લાંબો હોઈ શકે છે. સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાન્સ દર દશ હજારે એક હોય છે. તેના શરીરને મળતી ડિઝાઈન પણ આપણી ફિયગરપ્રિન્ટ જેમ યુનિક હોય છે.  સૌથી વધારે વાઘ કર્ણાટકમાં છે. વિશ્વમાં જેટલા જંગલમાં નથી તેટલા વાઘ લોકોએ પાળીને રાખ્યા છે. તેની દહાડ 3 કિ.મી. સુધી સંભળાય છે.

નર વાઘ અને માધા સિંહમાંથી પેદા થયેા બચ્ચાને ટીગોન્ગ અને નરસિંહ અને માદા વાઘમાંથી પેદા થયેલા બચ્ચાને લાઈગર કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેના કાન પાછળ સફેદ રંગના ડાઘ હોય છે. તે ચાર હજાર મીટરની ઉંચાઈ પર પણ જો મળે છે, તે શિકાર માટે રાતની રાહ જોવે છે.તેની જોવાની ક્ષમતા માણસ કરતા છ ગણી વધારે હોય છે. તે  65 કી.મી. પ્રતિ કલાકે દોડી શકે છે, તે 30 ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. તેએક રાતમાં 30 કિલો માસ ખાય છે, અને બિલાડીનો  95.6 ટકા ડીએનએ વાઘ સાથે મેચ થાય છે.આપણા દેશ ઉપરાંત  બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.