Abtak Media Google News

તા. ૮.૧૦.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ નોમ, દશમનું શ્રાદ્ધ, પુષ્ય   નક્ષત્ર, સિદ્ધ   યોગ,વણિજ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ) :  કોઈ બાબતને અહમનો  પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત)  સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગત અંકમાં આપણે કર્મવિપાકસંહિતા અને નક્ષત્ર મુજબ ફળકથન જોયું. કર્મવિપાકસંહિતાએ જન્મોજન્મના કર્મ અને તેનું પરિણામ દર્શાવે છે પરંતુ વાર્તાના સ્વરૂપમાં કહેવાયેલી આ વાતને સાચા અર્થમાં સમજવી પડે છે. દરેક વાત પાછળ એક રહસ્ય છુપાયેલું છે તેને સમજીને જીવનમાં ઉતારવામાં આવે તો જીવનમાં નવો સૂર્યોદય થાય છે. જે તે વ્યક્તિ જે તે નક્ષત્રમાં જન્મે છે વળી તેને ગ્રહો તે નક્ષત્ર અને પદમાં મળે છે તેની પાછળ ચોક્કસ હેતુ છુપાયેલો હોય છે. જાતક જયારે તેનું જીવન કાર્ય સમજી લે છે ત્યારે શું કરવું ને શું ના કરવું તે દ્રઢ પણે નક્કી કરી શકે છે. જાતક ઋણાનુબંધન અને તેણે જીવનમાં શું મેળવવાનું છે અને શું ત્યાગ કરવાનું છે તે સમજી શકે છે. જ્યેષ્ઠા નક્ષત્ર શું કામ દીર્ઘ વિચારો આપે છે, કે શા માટે કેટલીક કસોટી કરે છે શા માટે એક અસલામતીનો ભાવ આપે છે, એક સ્પર્ધા આપે છે એ ત્યારે જ સમજાય જયારે આપણે તેની બાબતો ઊંડાણથી સમજીએ એ વાતના રહસ્યને સમજીએ. અત્રે સમયાંતરે હું એક પછી એક નક્ષત્ર અને તેના રહસ્યો વિષે જણાવતો રહીશ વળી કેટલાક રસપ્રદ કેઈસ સ્ટડી પણ આપતો રહીશ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.