Abtak Media Google News

પૂજયપાદ સ્વામી  નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રે2ણા અને કૃપાદૃષ્ટીથી નિર્માણ થયેલ અને માનવસેવા એ જ પ્રભુસેવા” સુત્રને ચરીતાર્થ કરતી સ્વામી   નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) છેલ્લા બાર વર્ષથી તદ્દન નિ:શુલ્ક આરોગ્યસેવા પ્રદાન કરી રહી છે.

Advertisement

સને 2022 મા આ હોસ્પિટલ એ શુભારંભથી બા2 (12) વર્ષની આરોગ્યસેવા-સાધના સફળતાપૂર્વક સંપન્ન કરી નિષ્કામ સેવાક્ષેત્રે એક અપૂર્વ સિધ્ધી હાંસલ કરી છે. એક સંતપ્રેરીત આ હોસ્પિટલનાં દાનવિરો, કર્મવિશે તેમજ ધર્મવોનાં ભાવવંદના મહોત્સવની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન સર્વ જીવપ્રાણી માત્રનાં હિતચિંતક અને આ હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરુ સ્વામી  નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજમાં અનન્ય ચ2ણોપાસક સદશિષ્ય સ્વામી  ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહા2ાજની અધ્યક્ષતામાં કરેલ છે.

આ પ્રસંગે પૂજય સંતોના આશીર્વચન ઝીલવા માટે, દાતાઓ, ટ્રસ્ટીઓ, સંસ્થાનાં ડોકટ2ઓ તેમજ કર્મયોગી અને સેવાભાવીઓનો ઉત્સાહ વધારવા અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ જાહેર જનતાને આ મહોત્સવમાં સપરિવાર, મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમત્રણ છે વર્ષ 2011 થી લઈ 141 મહિના માં 20.74.215 ઓપીડી સારવાર 9.11.286 લેબોટરી એક્સરે ઇમરજન્સી 57.125 ઓપરેશનો 9.420 પ્રસુતિ 28.42.425 ને ભોજન પ્રસાદ ની સંપૂર્ણ નિ:શુલ્ક સેવા ના 4000 દિવસ માનવ સેવા એજ માધવ સેવા ને સફળ બનાવી દર્દી દેવોભવ માં તનમન ધન થી સેવારત દાતા ઓ ડોક્ટરો નો સત્કાર કરવા ચતુર્થ સહસ્ત્રદિન માનવ સેવા મહાયજ્ઞ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.