Abtak Media Google News

જીવનયાત્રાને પાર પાડવા ગુરૂ પથદર્શકની ભુમિકા ભજવે છે: કમલેશ મિરાણી

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમા જણાવાયું છે કે કાલે તા. 13 જુલાઇને બુધવારના રોજ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નીમીતે શહેરમાં તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરુપુજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભુમિકા ભજવે છે. સદગુરુ શિષ્યના જીવનનો દિશા આપે છે. તેમજ જીવનની દરેક પળે ગુરુની જરુરીયાત વર્તાય છે. અને દરેક પળને સુશોભિત કરનાર આ મહામાનવને યાદ કરવાનો અવસર એવા ગુરુપૂર્ણિમાના શુભ દિવસે ગુરુનો મહિમા ગાવા, ગુરુ ઋણનું સ્મરણ કરવા અને ગુરુપ્રાપ્તિનો પરમાનંદ માણવા અને ગુરુમય બની જવાના આ શુભ દિવસે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા અંતર્ગત શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો આશ્રમોમાં ભાવ અને ભકિતસભર ગુરુપુજનના કાર્યક્રમો યોજવામાં આવેલ છે.શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા ગુરુનુ પુજન-અર્ચન કરી ગુરુવંદના  કાર્યક્રમ કરવામાં આવશે તો દરેક વોર્ડમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉ5સ્થિત રહેવું તેમ અંતમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.