Abtak Media Google News

માસના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે. મન કી બાતનું આકાશવાણી અને દૂરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સુચના અને પ્રસારણ મંત્રાલય તથા દૂરદર્શન સમાચારની યુ ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શકિતકેન્દ્રો પર કાલે સવારે ૧૧ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શકિત કેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.