Abtak Media Google News

વિસર્જન યાત્રામાં અનેક લોકો જોડાયા: ઠેર ઠેર સ્વાગત કરાયું

રાજકોટમાં યોજાતા ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનું સુચારુ સમાપન થયું પુર્ણાહુતિ પૂજા પશ્વાત શહેરની ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાઇ, ત્રિકોણ બાગ ચોક ખાતે શહેરની આ વિશાળ યાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના અંતિમ ચરણોમાં શનિવારે સાંજે સાર્વજનીક સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ અને પ્રસાદનો ભાવિકોએ વિશાળ સંખ્યામાં ભાગ લઇને લાભ લીધો હતો. દાંડીયા રાસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૦ ભાઇઓ તથા ર૦ બહેનોને વિવિધ ભેટ પુરસ્કારો અપાયા હતા. આયોજનોને સફળ બનાવવા ૧૧ દિવસ સુધી સેવાઓ આપનાર ૯૦ ઉપરાંત સ્વય સેવકોને પુરસ્કાર સ્મૃતિચિન્હ  અને પ્રશસ્તિ પત્ર આપીને આયોજન સમીતી તરફ સ્વાગત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.