Abtak Media Google News

તસ્કરો સોનાના ઘરેણા અને રોકડનો કર્યો હાથફેરો

પૂર્વ કચ્છના અંજારમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી રૂ.૨.૮૮ લાખની મતાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અંજાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી.ડી.ઝીલરિયાના જણાવ્યા પ્રમાણે તા.૮/૯ થી તા.૯/૯ સુધીમાં અંજાર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા હિતેષ મગનભાઈ પટેલ બહાર ગામ ગયા હતા ત્યારે મંગળસુત્ર, હાર, પેન્ડલ એમ નવ તોલાના રૂ.૧,૩૫,૦૦૦ના દાગીના તેમજ રોકડ રૂ.૧૦,૦૦૦ મળી કુલ ૧,૪૫,૦૦૦ની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

તેમજ સહજાનંદ પાર્કમાં રહેતા નિલેશ રમેશભાઈ બાંભણિયાના બંધ મકાનનું તાળુ તોડી કબાટમાંથી મંગળસુત્ર, હાર, કાનની બુટ્ટી એમ સવા છ તોલાના રૂ.૯૩,૭૫૦ દાગીના તેમજ રૂ.૫૦,૦૦૦ રોકડ મળી કુલ રૂ.૧,૪૩,૭૫૦ની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ છે તો આ અંગે પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ ચાલુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.