કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં આજે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે બંદુકની ગોળી મારીને હત્યા કરી હતી. આખા બનાવના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. દિલીપ કુમાર (ઉ.વ. 37) અને ચંદરકુમાર રાઠી (ઉ.વ.34) નામના આ બંને વેપારી ભાઇઓની મિઠીમાં અનાજની દુકાન છે. આજે સવારે પાકિસ્તાનના સમય મુજબ સવારે આઠ વાગ્યે તેઓ દુકાન ખોલતા હતાં ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરેલા બે શખ્સો તેમની પાસે આવ્યા અને હાથમાં રહેલો થેલો કે જેમાં રોકડ હતી તે ઝુંટવવાનો પ્રયાસ કર્યો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ