Abtak Media Google News

કારનું ટાયર ફાટતા સર્જાઈ દુર્ઘટના : ઘટનાસ્થળે ટ્રાફિક જામ

પાટડીના વાલેવડા ગામ પાસે કાર નું ટાર ફાટતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દસાડા પોલીસને ઘટના સ્થળે જઇ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.દસાડાથી બહુચરાજી જવાના રોડ પર પર આવેલા વાલેવડા ગામના વળાંક પાસે એક કાર પલ્ટી ખાઇ જવાનો બનાવ બન્યો હતો.

જેમાં કારમાં બેસેલા શંખલપુરના ૨૯ વર્ષીય ગોવીંદજી બળદેવજી ઠાકોર અને હાંસલપુરના જીવાજી ભગાજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની છત ઘસાઇ જતા તૂટી ગઇ હતી. કાર પલ્ટી ખાઇ જતાં થોડી વાર માટે રસ્તા પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય હતા. જો કે દસાડા પોલીસને આ ઘટના અંગે જાણ થતાં પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે ધસી ગયો હતો. અને ટ્રાફીકને પૂર્વવત કરી મૃતક બંને યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.