Abtak Media Google News

સુરતમાં આજ રોજ ગટર સાફ સફાઈ કરવા ઉતરેલ કર્મચારીઓ સાથે દુર્ઘટના બની હતી જેમાં ૨ કર્મચારીઓનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારની છે. જ્યાં એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં સફાઈ કરવા માટે ૩ કર્મચારીઓ ઉતર્યા હતા. ત્યારે પાઇપ લાઇનમાં પડતા ગૂંગળામણના થતા બેભાન થયા હતા. ગૂંગળામણ કારણે ત્રણ શ્રમિકોમાંથી ૨ના મોત થયા હતા.

પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સફાઈની કામગીરી થઈ રહી હતી ત્યારે એક મજૂર અંદર પડ્યો હતો. અંદર પડતાની સાથે અન્ય એક કામદાર પણ તેને બચાવવા માટે નીચે ઉતાર્યો હતો. જોકે બંને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. બંને મજૂરો બહારના આવતા ત્રીજો મજૂર અંદર જઈને જોતા એ પણ ઇજાગ્રસ્ત થયો હતો. અન્ય મજૂરો દ્વારા તેને બચાવીને બહાર કાઢી લેવાયો હતો.

આ ઘટનાની જાન થતા ફાયર વિભાગે ઘટના સ્થળ ઉપર પહોંચીને બચાવની કામગીરી શરૂ કરી હતી. ડ્રેનેજ લાઈનમાં ગૂંગળામણના કારણે બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.