Abtak Media Google News

#Una #Rampar #Jakharwasa #Lions #gujarat

Advertisement

ગીર સોમનાથના ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રાની પશુઓના આંટાફેરાથી સતત ભયનો માહોલ રહે છે.

રામપરા અને જાખરવાડા ગામમાં સિંહે રાત માથે લીધી હોય તેમ બે-બે મારણ કર્યા હતાં.

દેલવાડા-નવાબંદર રોડ પર આવેલા રામપરા ગામની પ્રા.શાળા પાસે આવેલ કરસનભાઇ અરજણભાઈ રામુની વાડીમાં રાત્રીના સિંહ આવી ચઢતા બળદ પર હુમલો કરી બાદમાં મારણની મિજબાની માણી હતી તેમજ નજીક આવેલા જાખરવાડા ગામે મોહનભાઈ દેવસીભાઇ ચારણીયાની વાડીમાં વાછરડાનું પણ મારણ કર્યું હતું.

આમ એક રાતમાં બે ગામમાં સિંહ ત્રાટકતા બે પશુઓના મારણ કરી મિજબાની માણી હતી. આમ બંને ગામોમાં સિંહે પશુના મારણ કરી મિજબાની માણી ચાલ્યાં જતાં ગામ લોકોમાં તેમજ સીમવાડી વિસ્તારનાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.