Abtak Media Google News

એડવોકેટ પરકીનભાઈ રાજાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખી માંગણી કરી

કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણી વખતે નુકશાન થાય તેવું નિવેદન આપનાર સામ પિત્રોડાને તાત્કાલીક અસરથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી રાજકોટના એડવોકેટ અને કોંગી અગ્રણી પરકીનભાઈ રાજાએ કરી છે અને તેઓએ આ અંગે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે.

એડવોકેટ પરકીનભાઈ રાજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તા.૧૦/૫/૧૯ રોજ સામ પિત્રોડા એ પત્રકારો સમક્ષ જાહેર માં ૧૯૮૪ ના શીખ-નરસંહાર ના દંગા ઉપર નિવેદન આપ્યુ કે …દંગા ..હુઆ તો ..હુઆ….અબ કયા હે…!!!??….એ ચુંટણી ના જયારે બે તબક્કા બાકી હોય …અને દિલ્હી ..પંજાબ માં તે તબક્કામાં મતદાન થવાનુ હોય…ત્યારે કેટલે અંશે વ્યાજબી….!!!????…

પિત્રોડા સારી પેઠે જાણે છે કે…આ નિવેદન ની શું અસર થશે ….વિરોધી ઓના આઘાત-પ્રત્યાઘાતો શું આવશે……જાણી જોઈ ને કોંગ્રેસ પક્ષ ની સારી સ્થિતિ ને બગાડવાના ષડયંત્ર નો મુખ્ય હાથો પિત્રોડા બન્યાંછે….અંદરખાને મોદી સાથે મીલીભગત સિવાય આ નિવેદન શકય જ નથી…..ભુતકાળમાં મણિશંકર ઐયર…શશી થરુર ….આવા નિવેદનો દ્વારા આડકતરી રીતે ભાજપ ને મદદ કરેલ છે…એ પણ ચુંટણી વખતે જ .. મણિશંકર ને તો સસ્પેન્ડ પણ કરાયા હતા ….તો પિત્રોડાને શા માટે સસ્પેન્ડ ન કરવા જોઈએ.

તેઓએ કારણો આપતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં સતાવાર પ્રવકતા ઓ છે ઉદાહરણ રણદીપ સુરજેવાલ ..સુંદર કામગીરી કરે છે…તો ….પિત્રોડા એ આ ભુમીકા ભજવવામાં આટલો રસ કેમ…..તેમની નિવેદન આપવાની જવાબદારી જ નથી…..!!!??નજીકના  ભુતકાળમાં ..તા ૨૨/૩/૧૯ પુલાવામા એટેક પછી આ મહાશય …સ્વયંભુ પ્રવકતા બની મીડીયા ને જણાવ્યુ કે….પુલાવામા એટેક માટે ..પાકિસ્તાન જવાબદાર નથી….થોડા લોકો ના કૃત્ય ને માટે દેશ ને જવાબદાર ન જ ગણાય…!!!??….આપણી સરકાર ને આ મામલો હેન્ડલ કરતા નથી આવડતો …..!!!??……. સ્પષ્ટ નિર્દેશ છે કે આ મહાશય ભાજપને સીધો ફાયદો કરાવવા બોલ્યા….બન્ને નિવેદનથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાનું અંતર રાખી તેને પિત્રોડાનુ અંગત મંતવ્ય જણાવ્યુ….હદ તો ત્યારે થઈ કે શીખો વિરુદ્ધ ના દંગા..હુઆ તો હુઆ…..માટે મોડી રાત્રે રાહુલ ગાંધીએ કડક રીતે આ મહાશયને માફી માંગી નિવેદન ફેરવવાની સીધી કડક સુચના આપી ત્યારે આ મહાશયે માફી માંગી.

ઉપરોક્ત બન્ને નિવેદનથી સ્પષ્ટ તારણ નીકળ્યું કે એક ભયંકર ષડયંત્રના ભાગરુપે ચુંટણીના સંવેદનશીલ સમયે આવા પક્ષને ભયંકર નુકશાન કરતા નિવેદન ….જોગાનુજોગ …કે માનવીય ભુલ …ન જ  હોય.વિશેષમાં આ મહાશય જે ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ નામનું ડીંડક ચલાવે છે …તે એઆઈસીસી…માન્ય જ નથી….કહેવા ખાતર વિદેશમાં કોગ્રેસનો પ્રચાર-પ્રસાર …કે રાહુલની છબિ બનાવવાની મોટી મોટી વાતો કરે છે….પણ આજ સુધી આ સંગઠનનુ પોતાનું માળખું…કે  દેશ વાઇઝ સંગઠનની રચના…..કાગળ ઉપર જ …અસ્તિત્વ ધરાવે …છે.

આ સંગઠને વિદેશમાં જે રીતે ભાજપ ના ઓવરસીઝ ફ્રેન્ડઝ નામનુ સંગઠનની તોલે પણ ન આવી શકે….માત્રને માત્ર પિત્રોડા એ પોતાના અંગત લાભાલાભ, ગોઠવણી…અન્ય વિશેષ સવલતો …ને ૧૦, જનપથમાં ઘુસ મારવા જ આ સંગઠન બનાવ્યું છે. હાલ ની ચુંટણી ટાણે વિદેશ માં ખાસ કરીને ગુજરાતી ઓ એ કાર રેલી ઓ સભા ઓ..મીટીંગો …અને અનેક કાર્યક્રમો મોદીના લાભાર્થે કર્યા……જે યુ ટ્યુબ કે ભાજપની સતાવાર સાઈટ પર મોજુદ છે… આ મહાશય પોતાની જુની પ્રતિષ્ઠાને રોકડી કરવા નીકળી ગયા છે….આ મહાશયના એકપણ આવા કાર્યક્રમો કંયાય થયા હોય તો ….તોજ ….જણાવે …..

બાકી સમગ્ર દેશનો આમ કોંગ્રેસી કાર્યકર મજુરી કરીને પાર્ટીને મજબૂત કરતો હોય …શેરીમાં ભાજપ સામે ઝઝુમતો હોય…સોશીયલ મીડીયામાં પોતાના સ્વખર્ચે પાર્ટીની વિચારધારા ને ફેલાવતો હોય ….તેવા નિષઠાવાન કાર્યકરો વતી મારી માંગ છે કે…આવા કોન્વેન્ટકલ્ચરીયાજેને પાર્ટી કે વિચારધારા સાથે નિસ્બત જ નથી…માત્ર પોતાનું દનીયુ..અર્થાત અંગત હિત સાધવા પાર્ટીના પ્લેટફોર્મનો ઉપયોગ કરે તેને પાછળ લાત મારી તગેડી મુકવાનો સમય આવી ચુક્યો છે. જેમ મણિશંકર ઐયર ને સસ્પેન્ડ કર્યાં …ગુજરાત ના ૧૦, જનપથમાં ઘર કરી ગયેલ ઘોરખોદીયાને કદ પ્રમાણે વેતરી નાખયો તેમ આ મહાશયને હાર્ડ ટ્રીટમેન્ટની જરુર છે. સામ પીત્રોડાને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી ડો.પરકીનભાઈ રાજાએ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.