Abtak Media Google News

સોમનાથ મહાદેવના ચરણોમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શીશ ઝુકાયું હતું.

અબતક, અતુલ કોટેચા વેરાવળ

સોમનાથ પરિસરમાં આવેલ કપર્દિ વિનાયક ગણપતિ જીના દર્શન કર્યા, સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરેલ, સોમેશ્વર મહાપૂજા પણ આ પ્રસંગે તેઓ એ કરી હતી. સોમનાથ મંદિર ખાતે દક્ષિણ ધ્રુવ ની મુલાકાત લીધી હતી, આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ને તેઓએ પૂષ્પાજલી કરી હતી, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજરએ તેઓને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરેલ.

તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ દ્વારા પુન: નિર્માણ પામેલ સોમનાથ મંદિરના દર્શન અને પૂજા કરી ધન્ય બનેલ, ભગવાન સોમનાથ તેઓના કાર્ય પ્રત્યે પ્રેરણા આપે, ભારત દેશ ની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અમદાવાદ કડી ના પરિવાર ની ધ્વજાપુજા માટે આવેલ પરિવારની પણ આ પ્રસંગે શુભેચ્છામુલાકાત લીધી હતી.આ પ્રસંગે ગુજરાતના રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી તેમજ અધિકારીઓ-પદાધીકારીઓ સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.