Abtak Media Google News

મુકેશ દોશી, રામભાઈ મોકરીયા, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, બીનાબેન આચાર્ય, ડો.પ્રદિપ ડવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.1 જૂન થી તા.30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ  રહયા છે. જેમાં સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યઓ, અને ચૂંટાયેલા કોર્પોરેટર ઓની સાથોસાથ સંગઠનના હોદેદાર  ધ્વારા પણ વિશેષ જન સંપર્કના કાર્યક્રમો યોજાઈ રહયા છે, અને આગામી સમયમાં ભાજપ સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની સિધ્ધી અને માહિતી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે  ત્યારે શહેર ભાજપ ધ્વારા તા.14 જૂનના રોજ નાનામવા સર્કલ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવેલ છે

ત્યારે આ જનસભા ની પૂર્વતૈયારી અંતર્ગત શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની અધ્યક્ષતામાં અને  સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ,પૂર્વ  પ્રમુખ કમલેશ મિરાણી, રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા મુકેશ દોશીએ વિશેષ જન સંપર્ક અભિયાન અંતગર્ત યોજાનાર વિશાળ જનસભા અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ કાર્યક્રમની રૂપરેખા ઘડેલ હતી. તેમજ તા. 7 જૂનના રોજ પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ડો. ભરતભાઈ બોઘરા સંચાલીત આટકોટ ખાતેની કે.ટી. પરવાડીયા હોસ્પિટલ ખાતે નવા વિભાગના લોકાપર્ણ કાર્યક્રમ અંતર્ગત આટકોટ ખાતે શહેરના તમામ વોર્ડમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો- કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહેવાના હોય, જરૂરી દિશાસૂચન કરેલ હતુ.

આ  બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ કરેલ.આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, મોરચાના પ્રમુખ,મહામંત્રી સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જંહેમત ઉઠાવી હતી.

આટકોટ હોસ્પિટલના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની અપીલ

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ  જણાવેલ છે કે  કાલે તા.7  બુધવારના રોજ સાંજે 6:00 કલાકે આટકોટ ખાતે   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના નવા બનેલા હ્રદય રોગ વિભાગ (કેથલેબ) તથા ર મોડયુલર નવા ઓપરેશન થીયેટરનો લોકાર્પણ સમારોહ- ભવ્ય લોકડાયરો કાર્યક્રમ યોજાનાર છે, તેમજ આટકોટ ખાતે રાત્રે 9:00 કલાકે ડીસ્ક્વરી અને ડીસ્ક્વરી પ્લસ ચેનલ ઉપર  અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરવામાં આવશે, ત્યારે આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેવા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ શહેરના તમામ વોર્ડમાંથી ફોર વ્હીલર અને બસો ધ્વારા રવાના થશે. ત્યારે આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનેશહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી એ અપિલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.