Abtak Media Google News

સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિઘા પ્રતિષ્ઠાનમ (એસ.જી.વી.પી.) ની શાખા સ્વામીનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર ભારતના પનોતા પુત્ર અને લોકલાડીલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

Advertisement

આ પ્રાર્થના સ્વરુપે વિષેશ ધુન ભજન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના અઘ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે ભારત વર્ષના મહાન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના નિધનના સમાચાર સાંભળી એવું લાગી રહ્યું છે કે જાણે એ સૈકાનો અસ્ત થઇ ગયો. પુન્યવંતી ભારત ભૂમિના એ સપૂત  હતા.

એમણે ભારતને સશકત અને સમૃઘ્ધ બનાવવામાં કાશી ઉણપ રાખી ન હતી. આખા વિશ્વની સમક્ષ એમણે ભારતને અણુશકિતમાં સક્ષમ સાબિત કરી દીધું. અનેક અવરોધો વચ્ચે પણ એમણે હિંમતથી અનેક કાર્યો કર્યા. કહેવત છે કે વેરી પણ જેના ઘાવ વખાણે એમ પક્ષ અને વિપક્ષે સદાય એમને આદર આપ્યો. ગુરુકુળ પરિવાર આવા મહાન રાષ્ટ્રનેતાને શ્રઘ્ધાંજલી અર્પે છે અને હજારોહજાર વંદન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.