Abtak Media Google News

વલસાડ સમાચાર

વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં સંજાણ પાસેની વારોલી નદી પર એક વિચિત્ર ઘટના સામે આવી છે.  નદી પર બનેલા બ્રિજ પર ફરવા ગયેલા માતા પિતા અને પુત્રી એક પછી એક પાણીમાં પડી જતાં માતા અને પુત્રીનું મોત થયું છે અને  પિતાનો બચાવ થતા પોલીસ તપાસ શરૂ કરાઇ  છે .

ઉમરગામ દાદરા નગર હવેલીથી તરવૈયાઓએ પુત્રીને શોધવા મોડી રાત સુધી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ. આખરે રાત્રે દસ વાગ્યાના આસપાસ અગિયાર વર્ષીય પુત્રીનો મ્રુતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનામાં પિતાની શંકાના આધારે પોલીસએ પૂછપરછ કરી છે .તેમના જણાવ્યા પ્રમાણે તેઓ પત્ની અને પુત્રીને લઈ વારોલી નદી પર ફરવા ગયા હતા ત્યારે પુલની પાળ પર બેસવા જતાં માતા અને પુત્રી પાણીમાં પડ્યા હતા .જોકે આ વાત શંકાનાં દાયરામાં હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.